પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૧૨

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
અકબરશાહ અને બીરબલ ભાગ-૪જો

અકબર બાદશાહનો સ્વભાવ આતુર હતો અને તેથી તે જે કામ કરવું ધારે તે કરવામાં ક્ષણનો પણ વિલંબ કરતો નહિ. એણે તુર્ત જાસુસો દોડાવ્યા અને ક્હાવ્યું કે આજ બપોરે કોઈ પરદેશી કવિની સમસ્યા પૂરવાને મોટું દરબાર મળનાર છે. બપોર થયા નથી એટલામાં પોતે ખાનું ખાઈ તૈયાર થયો; અને કચેરીમાં આવી જુએ છે તો લોકોથી તે ખીચોખીચ ભરાઈ ગઈછે. મોટા મોટા મુલ્લાંઓ, મુનશીઓ, પંડીતો, કવિઓ, અમીરો, કારભારીઓ અને જેનાથી આવી શકાય તે સઘળા ત્યાં આવીને બેઠા હતા. આ જોઈ પાદશાહ પ્રશન્ન થયા અને બોલ્યા કે થોડા વખતમાં કચેરી સારી ભરાઈ ગઈ. એ સાંભળી મુલ્લાં કૈઝીએ સાત સલામ મુગલાઈ અદબથી કરીને કહ્યું કે:


चलक चलक शमशेर शत, जल जा जड हो जात,
ऐसी जिस्की सैन इक, खा बैनकी बात.


ચાર પાંચ જે આગેવાન ગણાતા હતા તેઓ માથું નમાવી ઉઠ્યા કે 'खुब कही ! जनाहपनाह, सचबात है' । અને બાકીના બધા એનો અર્થ સમજ્યા કે નહિ તે શપથપૂર્વક કહી શકાતું નથી, પણ તેઓએ પણ અમારો એજ મતછે એમ જણાવવા હસતું મો રાખી ખૂબ છટાથી ખુન્નસ બજાવી. બીરબલ મનમાં ગભરાયો કે જ્યાં એક મુસલમાન જુવાન આવું ઉત્તમ કાવ્ય કરેછે ત્યાં બીજા કવિઓ તે કેવા હશે, અને મારું તે અહિંયા શું ચાલશે. તોપણ દરબારીઓમાં અવશ્યનો ગુણ જે ધીટપણું તે એનામાં પુષ્કળ હતું, અને તેથી એનો અર્થ સમજાવીને પણ આગળ પડવાના હેતુથી તે અદબની સાથે બોલ્યો કે આફ્રિન! ખુબ મઝેની વાત કહી! જેની માત્ર એક નજરથી હજારો તરવારો ચમકીને ચાલવા લાગેછે, અને( જો કૃપાની હોય તો) લક્ષ્મી ત્યાંજ સ્થિર થઈને વાસો વસેછે, તે પદશાહના મોમાંથી એક બોલ નીકળે અને તે પ્રમાણે તેના દરબારીઓ અમલ કરે તેમાં શું આશ્ચર્ય!


ફૈઝીની કીર્તિ સાંભળી જગન્નાથ પંડિતને હંમેશા ક્રોધ ચડતો અને તેથી અ પ્રસંગે પણ બોલી ઉઠ્યા કે રસ ક્યાંછે! પાદશાહે જાણ્યુંકે કે રસ ક્યાં શબ્દોમાં છે એમ પૂછે છે તેથી તે શબ્દો બતાવવાનું ફરમાવ્યું. હવે ફૈઝી એ ઉત્કૃષ્ટ કવિ તથા પંડિત હતો ખરો પણ કાવ્યનું શાસ્ત્ર સારી રીતે જાણતો નહોતો, અને તેમાં કાંઈ નવાઈ નથી, કેમકે સંસ્કૃત સિવાય કોઈ પણ ભાષામાં કાવ્યશાસ્ત્ર સંપૂર્ણ નથી. એ સંસ્કૃત સારું ભણ્યો હતો, પણ જગન્નાથ પંડિત આગળ ન્યાય કે કાવ્યમાં ટકાય નહિ, તેથી જાણ્યું કે હવે એ મને ચુંથશે અને તે કારણથી કાંઈક જવાબ દેવાની તૈયારી કરે છે એટલામાં એના મોં ઉપર ફિકાશ પથરાઈ ગઈ. અ જોઈ બીરબલ તુર્ત એની મદદે તૈયાર થયો કેમકે રાજાના માનીતાનો પક્ષ લેવો અને પોતાની હોશીઆરી બતાવવી એને તો એ રાજદરબારનું આન્હિકજ સમજતો હતો.


બીરબલે કહ્યું, રજા હોયતો એનો જવાબ હુંજ દઉં. આ દુહામાં ચમત્કાર એછે કે આપના હુકમથી લોઢા જેવા જડ અને કઠણ પદાર્થ ચાલે છે, અને લક્ષ્મી જેવી ચંચળ