પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૨૫

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

કરનાર અને શાંત કહેતાં અંતવાન એટલે જેનો જલદીથી છેડો આવી જાય એવી છે.

આ સાંભળી બધી સભા છક થઈ ગઇ. સર્વે એના ચાતુર્યનાં એકે અવાજે વખાણ કરવા લાગ્યા. મુલ્લાં ઝનૂનુદ્દીન પણ બોલ્યા કે એ કાફ્ર મુલ્લાંની કાબેલીઅતમાં કાંઇ ખામી નથી. જો એક કલમો પઢે તો હું એને પગે લાગવા તૈયાર છું. અકબરશાહ તો ઘણોજ પ્રસન્ન થઈ ગયો હતો. એણ્રે કહ્યું એ બંનેને પ્રીતિ ને દેખાવમાં સરખીજ વર્ણવી. પણ પરિણામમાં જમીનને આસમાન જેટલોજ ફરક પાડી બતાવ્યો એ મોટી ખૂબી છે. હું ધારતો હતો કે રખેને ફક્કડ કવીશ્વર પરકીય પ્રીતિનો પક્ષ કરે. જગન્નાથે હસીને કહ્યું કે, સંસ્કૃત ને પ્રાકૃત ક્રિયાઓમાંજ જે સ્વાભાવિક ભેદ રહેલો છે તે કોનાથી રદ થઈ શકે. બીરબલે કહ્યું, મહારાજ, એ પંડિતરાજે તો પરકીયાની પ્રીતિને સુખ શબ્દજ લગાડ્યો નથી, અને પ્રીતિ કહી ત્યાં પણ અચર, સોચકર, અને સાંત એવાં વિશેષણો યુક્તજ કહી છે. ખરે એ કવિરત્ન જેવા રસમાં તેવાજ ધર્મશાસ્ત્રમાં પણ નિપુણ છે.

એ વેળા સભામાં એક જ્યોતિષી બેઠો હતો. તે કવિતા પણ કરી જાણતો હતો તેથી તેણે કહ્યું કે રજા હોય તો એ વિષય ઉપરજ મ્હેં કાંઈક બનાવ્યું છે તે કહી સંભળાવું. બાદશાહે કહ્યું, ઠીક, બોલો બીરબલ કહે, જોશીબાવા, કવિતા કરવા જતાં તમારા ગ્રહને ભૂલશો નહિ હો. જોશીએ જવાબ આપ્યો કે હું ગ્રહને ભૂલું, પણ તે ક્યાં કોઇનેએ ભૂલે એવા છે. એમ ઝડાકો કરી તે નીચે પ્રમાણે બોલ્યો:-

स्वकीयासुखशशिपूर्नसम, शूक्रसीपरकीयप्रीत,
झलक पलकसी तनुतनक, कुसाध्यकाल अनित्य.

બાદશાહે કહ્યું, ચોથું ચરણ ગ્રહપક્ષે બરાબર સમજાતું નથી માટે તે સમજાવો. એમાં જ્યોતિષ્શાસ્ત્રની ન્કાંઇ ગૂઢ વાત છે. જોશીએ કહ્યું, મહારાજ, આ કવિરાજે મને ફરમાશ કરી હતી કે તમારા ગ્રહને ભૂલશો નહિ તેથી તેમ કરવું પડ્યું છે. વળી એમ પણ ખરૂં કે ગ્રહ નડે ત્યારેજ અમને કોઇ પૂછવા આવે. માટે હું બધોજ અર્થ સમજાવું છું, અને લંબાણ થાય તો ક્ષમા કરજો. એમ કહી તે બોપ્લ્યો કે સ્વકીયાનું સુખ પૂનેમના ચંદ્રમા જેવું નિર્મળ, આનંદકારી, ને અખંડ છે. પરકીયાની પ્રીત શુક્રના જેવી છે. તે પ્રીતનો ઝળકારો આંખની પલકના જેવો છે એટલે પલમાં ઝળકે ને પળમાં બંધ પડી જાય. ગ્રહોનું દર્શન પણ શાસ્ત્રમાં એ પ્રમાણેજ કહ્યું છે. તનુ કહેતાં વિસ્તાર થોડો છે-કેમકે પરતંત્રતાને લીધે યથેચ્છ હાવભાવથી વિસ્તારી શકાતી નથી. શુક્રના તારાનો વિસ્તાર ચંદ્રના કરતાં બહુજ નાનો દેખાય છે એ તો પ્રત્યક્ષ છે. વળી તે સાધ્યકાળ છે એટલે અમુક વખતેજ સાધી શકાય અને વળી તે કાળ પણ સારો નથી. શુક્રના તારાનું એવું છે કે થોડા માસ તે સાંજે અને થોડા માસ પાછલી રાતે દેખાય છે. બીજાની પેઠે જ્યારે જોવા જ‌ઇએ ત્યારે રાત્રે આકાશમાં દેખાય નહિ. માટે એને કુસાધ્ય કાલ કહ્યો. વળી એ અનિત્ય છે, કેમકે કેટલાક દિવસ તો એનો અસ્તજ રહે છે.

જોશીએ આવી કવિતા કરી તે જોઇ ઘણાને નવાઇ લાગી. ત્યારે એણે ખુલાસો કર્યો કે મારા બાપે મને વ્યાકરણ કાવ્ય વગેરે શીખવ્યા પછીજ જ્યોતિષમાં નાખ્યો