પૃષ્ઠ:Akabara Birbal nimite hindi kavya tarang.pdf/૩૮

આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

અને મોઢે પણ કહે છે, પણ શૂરા સૂર્યની સામા નજર કરવાની પણ દુષ્ટની હિંમત ચાલતી નથી.

બાદશાહ આ સાંભળીને રાજી થયો. પણ એક બીજાને મહેણાંટોણાં મારતા બંધ થાય એમ ધારી વાત ફેરવી અને કહ્યું કે આ સુંદર વર્ષાઋતુ ચાલે છે તે મૂકીને તમે બીજા ઉપર શા માટે છો. કોઇ બોલ્યું કે દરિયામાં આ વખતે જોવાલાયક તમાશો થઈ રહે છે. ઉપરથી મૂસળધાર વર્ષાદ પડે અને નીચેથી દરિયાના મોજાં મુછાળ મારી વાદળને અડકે તેથી આખું જગત જળમય દેખાય છે. જોશી કવિએ કહ્યું કે એ વિષે મેં કાંઇક કવિતા કરી છે તે સાંભળો :

जा बादलको सिंधुजल, उछलहि भेटत आप;
बर्खाऋतमें हर्खसे, देख स्वसूतप्रताप.

અર્થ :- વર્ષા ઋતુમાં દરિયાનું પાણી ઉછળીને વાદળને જઇ ભેટે છે, કેમકે મેઘ જે પોતાનો પુત્ર છે તેનો આ વેળા આવો મોટો પ્રતાપ જોઇને ઘણો હરખ થાય છે. મેઘને દરિયાનો પુત્ર કહેવાનું કારણ એ કે તેના પાણીની વરાળ થવાથીજ તે ઉત્તપન્ન થાય છે.

જગન્નાથે કહ્યું કે જોશીએ કવિતા ઠીક કહી સંભળાવી, કેમકે એમાં વર્ષાઋતુના વર્ણનની સાથે વત્સરસ પણ આવ્યો.

વરસાદનાં ઝીણાં ઝીણાં ટપકાં પડતાં જોઇ કોઇએ કહ્યું કે આકાશમાં આટલું બધું પાણી ભર્યું છે છતાં વરસાદ કેવો કૃપણ છે કે ટીપેટીપું જ આપે છે. રાજા ટોડરમલ્લે કહ્યું કે આ પ્રમાણે જ મૂર્ખા લોકો ડાહ્યા રાજાઓની નિંદા કરે છે, પણ તેમણે મેઘરાજાની કૃતિ જોઇને દિલાસો લેવો જોઇએ.

बूंद बूंद घन देत जल, जदपिउ सिंधुसम कोष;
अखंड अवनीपाल क्यौं, करे अनीति दोष ?

અર્થ :-મેઘરાજાની પાસે દરિયા જેવડો મોટો ભંડાર છે તોપણ તે ટીપે ટીપેજ પાણી આપે છે; જેને આખી પૃથ્વી પાળવી છે તે તે અનિતીનો દોષ કેમ કરે ?

એ સાંભળી જગન્નાથ પંડિત નીચે પ્રમાણે બોલ્યા -

नदी नया जल पायके, फूली किया सब ख्वार;
फिर ग्रीखम कें खपबखत, धुल हुड निर्धार.

એનો અર્થ એવો છે કે વરસાદનું નવું પાણી એક નાની નદીમાં આવ્યું કે તે એકદમ ફૂલી ગઇ, એટલે મોટું પૂર આવ્યું અને ચોતર્ફ રેલાઈ ગઈ, તેથી આસપાસ ખેતરો, બાગબગીચા, ને ગામો હતાં તે પણ સઘળાં ખરાબ થઇ ગયાં. એ રીતે પોતાની આબાદીના વખતમાં એ નદીએ પોતાનું કે પારકું કાંઇ ભલું કર્યું નહિ, પણ ઉલટી બધાને દુઃખ રૂપ થઇ પડી, પછી જ્યારે ઉન્હાળામાં પાણીની ખપનો વખત આવ્યો, ત્યારે તો પોતે સૂકાઈ ગઈ, તે ત્યાં ધૂળ ઉડવા લાગી, તો બીજને તે વેળા તે શો ફાયદો કરી શકે ? મતલબ અણસમજુ ઉડાઉ માણસો બીજાને કાંઇ પણ ફાયદો કરતાં નથી, પણ પરિણામે પંડને અને બીજાને તેઓ દુઃખરૂપ જ થઈ પડે છે.

આ કવિતા સાંભળી સઘળાનાં દિલ બહુજ રંજન થયાં. બાદશાહે પ્રસન્ન થઈ