આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩
બાબરે કાબુલ મેળવ્યું.


આ તેની કુચ કેવી કસનારી, કેવી મુસ્કીલ અને કેવી અશક્ય હશે તેનો ખ્યાલ આપણા જે સૈનિકોએ સને ૧૮૭૯–૮૧ ની લડાઈમાં અફઘાનીસ્તાનમાં નોકરી કરી હશે તેમને જ પૂર્ણ રીતે આવી શકે. ઉનાળામાં વીસ મજલ જેટલું આ અંતર હતું. પર્વતોને ચીરીને પાડેલો રસ્તા; ઉનાળામાં તો એટલો બધો મુશ્કેલ નહિ પણ શીયાળામાં તો ભલભલાને ધીરજ ન રહે એવો હતો. આજ ઋતુમાં ચારે તરફ વરસતા બરફમાં બાબરે આ મજલ આરંભી. તે પંડેજ આગળ થયો અને ન માની શકાય એવા શ્રમથી પોતાના થાકી ગયેલા અને બેફીકરા સૈન્યને છેક ઝીરીનપાસની તળેટી સુધી દોરી લાવ્યો. અહીંઆં સ્થિતિ નિરાશાજનક હતી. જબ્બર વાવાઝોડું, ઉંડો બરફ અને માર્ગ એક વખત એકજ માણસ નીકળી શકે એટલો સાંકડો, તોપણ બાબર આગળ ધસ્યે ગયો અને રાત પડતાં પડતાં કેટલાંક માણસનો સમાસ થાય એવી એક લાંબી ગુફા આગળ આવી પહોંચ્યો. એના ચારિત્ર્યના સુલક્ષિત અંગરૂપે રહેલી ઉદારતાથી–એણે પોતાનાં માણસોને અંદર દાખલ કર્યા અને હાથમાં એક કુવાડી લઈ તેણે પોતે પોતાની મેળે પોતાને માટે તે ગુફાના મુખ આગળ એક ખાડો ખોદી કહાડ્યો. એટલામાં અંદર પ્રવેશ પામેલાં માણસો જેમ જેમ આગળ જવા લાગ્યાં તેમ તેમ તે ગુફા તેમને મોટી લાગવા માંડી અને આખરે પચાસ સાઠ માણસને આશ્રય આપી શકે એવી મોટી નીકળી. આ જાણી બાબર અંદર ગયો અને પોતાના માણસોની સાથે જે કાંઈ થોડો ઘણો ખોરાક હતો તે વહેંચી ખાધો. બીજે દિવસે સવારમાં બરફ પડતો બંધ થયો. તોફાન જરા શમ્યું અને લશ્કર જોસબંધ આગળ વધવા માંડ્યું. આખરે ફેબ્રુઆરીના અંતમાં તે કાબુલ પહોંચ્યો ત્યારે તેણે સાંભળ્યું કે શહેરમાં બળવો થયો છે અને પહેરેગીર લોક નીમકહલાલ છતાં પણ હાલત ભયભરેલી છે. બાબરે આ પ્રસંગને બરોબર કેળવ્યો. પોતાના ઉપકારો સાથે કહેણ સંદેશા ચલાવી યોગ્ય હથોટીથી છાપો મારી તેણે તે જગ્યા પાછી મેળવી. બળવાખોરો તરફ તેનું વર્તન અત્યંત દયાપૂર્ણ હતું.

તે વર્ષના એટલે સન ૧૫૦૭ ના વસંત માસમાં ઉઝબેકનો સરદાર સાઇબાનીખાન જેણે પ્રથમ બાબરને સમરકંદમાંથી હાંકી કાઢ્યો હતો તેણે