શૂન્ય મધ્યે છે વાટ એહવી, પરમાતમ પદ સદા;
અગમ અગાધ મત મહા મનોહર, જ્યાં ન મળે દ્વૈતની આપદા. ૧
તેહને જગત નહીં તો શૂન્ય શું કહે, ગુણદોષ તે કોના ગણે;
પરમાર્થ આવ્યું પ્રીછમાં[૧], તો આપવિના અન્ય શું ભણે? ૨
જેમ રતાંબરને[૨] સત્ય ન મલે, તો દિવસ પરઠે[૩] શાવડે;
એ તો કાલ માપે ભૂતલવાસી[૪], પણ સૂર્યને કાંઇ નવ નડે. ૩
તેમ વિશ્વ દેખી મિથ્યા કહે છે, આશ જાણીને જગતની;
નિકાલ તેહને નથી જડતો, તેણે પેર્ય[૫] બાંધી મુગતની [૬]. ૪
ભાઇ અણલિંગીને આપ ન મળે, તો વ્યાપક પરઠેકેહતણો[૭];
અણચવ્યું[૮] આપ અનાદિ વર્જીત[૯], એવો લક્ષ આધો ઘણો. ૫
શૂન્યવાદી તે શરીર દેખે, પણ કૃત્ય[૧૦] ન માને દેહનું;
અંધ લક્ષ આઘો ન ચાલે, ન સમજે કારણ છે હતું. ૬
જેમ કાઇ મથતાં ઉષ્ણતા, પ્રથમ પ્રગટે માંહેથી;
પછે પ્રગટે ધૂમ્ર તેહનું, મૂલ અગ્નિને દાહથી. ૭
ઉષ્ણતા તેહજ અગ્નિ જાણીએ, પણ આઘો આદર નવ લણો;
તેમ જગત જગતનાં કૃત્ય દીઠાં, પણ આતમા અજાણ્યો રહ્યો. ૮
શૂન્યવાદી તે એમ જાણે, દેહ સૂધી તેહની દૂષ્ટ[૧૧] છે;
પણ પરમારથમાં પોંચ ન હોય, જેહની પુઠે પુષ્ટ[૧૨] છે. ૯
કહે અખો જે લક્ષણ સમજે, તેહજ પામે અંતને;
પરપંચ-પાર[૧૩] તે રહ્યો બોલે, કલા મોટી સંતને. ૧૦
પૃષ્ઠ:Akhegita.pdf/૪૦
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે