આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કડવું ૩૩ મું - સત્સંગનું માહાત્મ્ય અને દુર્જનના
દુર્ભાગ્યનું વર્ણન
ભિન્ન ટળે વસ્તુ મળે, મોટો મહિમા હરિજનનો;
ચૈતન્યસાગરમાંહે ભેળે, અધ્યાસ[૩] ટળે એ તનનો. ૧
શિભે જીવિતવ્ય[૪] સંતજનકેરૂં, ભવમાંહે તે અત્ય[૫];
સુખદાય્ક તેહને હોય સહુકો, જેહને સંત સાથે રત્ય[૬] ૨
આપસરીખો કરી ભૂકે, એહવી સંતની પ્રીત,
જેમ વહેરો[૭] ન કરે વરસતાં, એવી છે ઘનની[૮] રીત. ૩
સિંચે સરખા સહુજને, તેણે ફળે ભાર[૯] અઢાર;
હરિ હરિ તે કરી મૂકે, એહવી સંત-સંગત સાર. ૪
સુકે જવાસો તેણી રતે[૧૦], તો મેઘનો શો વાંક;
પરજન્ય પાયે ઘણું, પણ પી ન શકે એ ટાંક[૧૧]. ૫
તેમ અસંત સંત-સંગત કરે, પણ લાગે નહિ તેહને સંગ;