આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કડવું ૩૩ મું - સત્સંગનું માહાત્મ્ય અને દુર્જનના
દુર્ભાગ્યનું વર્ણન

રાગ ધન્યાશ્રી

સંત સંગ કીજે વળી વળી જનજી, અનુભવ વાધેઆધો દનદનજી[૧];
માયા ઉપરથી ઉતરે મનજી, હરિશું ટળશે ભિન્નાભિન્નજી[૨]

પૂર્વછાયા

ભિન્ન ટળે વસ્તુ મળે, મોટો મહિમા હરિજનનો;
ચૈતન્યસાગરમાંહે ભેળે, અધ્યાસ[૩] ટળે એ તનનો. ૧

શિભે જીવિતવ્ય[૪] સંતજનકેરૂં, ભવમાંહે તે અત્ય[૫];
સુખદાય્ક તેહને હોય સહુકો, જેહને સંત સાથે રત્ય[૬]

આપસરીખો કરી ભૂકે, એહવી સંતની પ્રીત,
જેમ વહેરો[૭] ન કરે વરસતાં, એવી છે ઘનની[૮] રીત. ૩

સિંચે સરખા સહુજને, તેણે ફળે ભાર[૯] અઢાર;
હરિ હરિ તે કરી મૂકે, એહવી સંત-સંગત સાર. ૪

સુકે જવાસો તેણી રતે[૧૦], તો મેઘનો શો વાંક;
પરજન્ય પાયે ઘણું, પણ પી ન શકે એ ટાંક[૧૧]. ૫

તેમ અસંત સંત-સંગત કરે, પણ લાગે નહિ તેહને સંગ;


  1. દિવસે દિવસે.
  2. જુદાપણું.
  3. ભ્રાંતિ.
  4. જીવન.
  5. અતિ
  6. પ્રીતિ.
  7. ભેદ
  8. વરસાદની
  9. છ મણ છત્રીસ શેર ને ૨૬ ૨/૫ રૂપીયાભાર.
  10. ઋતુમાં
  11. પૈસાભાર.