કડવું ૩ જું - વેદાંતના પ્રાચીન શ્રોતાવક્તાનાં નામ
રાગ ધન્યાશ્રી
અણછતો આત્મા તેશું ઓચરેજી, આપનું વર્ણન તે આપે કરેજી;
જીવતણું પદ જોતાં જે નીસરેજી, સાંખ્યયોગજોતાંજેહરિઉગરેજી
પૂર્વછાયા
ઉગરે[૧] જે વિચાર કરતાં, બ્રહ્માદિક જે ગૃહી રહ્યા;
તે હરિને તમે ઓળખો, જે આદ્યપુરૂષે[૨] અજને[૩] કહ્યા. ૧
જે પદ શિવના તનપ્રત્યે[૪], દત્તે[૫] કહ્યું વિશદ[૬] કરી;
આકાશતવકેરી[૭] કથા, [૮]ષડાનને ઉરમાં ધરી. ૨
વિધિ વશિષ્ટેં કહી કથા, રઘુનંદન-આગળ[૯] જેહ;
અર્ણવ[૧૦] બ્રહ્મ-વિદ્યાતણો, ભાઇ દેખાડ્યો છે તેહ. ૩
અનંત પ્રકારે અચ્યુતે[૧૧], કહ્યું ભારતને[૧૨] જ્ઞાન;
ગીતા ગાઈ ગોવિંદે, કર્મ-યોગ [૧૩] નિદાન. ૪
સમઝાવ્યા સાનેં કરી, જનકેં જે શુકદેવને;
મહામુક્ત થઇને પરવર્યા, જ્યારે પ્રીચ્યો અંતર ભેવને[૧૪]. ૫
ભીષ્મે ભગવાન-સાન્નિધ્ય, પાંડવપ્રત્યેં જે કહ્યું;
શાંતિપર્વે શાતા દીધી, હત્યાનું હારદ[૧૫] ગયું. ૬
વેદવ્યાસે વેદ વેંહેંચ્યા, કર્મ ધર્મ પોષ્યા જીવને;
તેની દાઝેં લાગ્યા દાઝવા જો જાણ્યા નહિ નિજ શિવને[૧૬]. ૭