પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૦૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦


આપણે રીતસર સાચી દાનતથી કામ કરવાનો નિશ્ચય કરવો જોઇએ. અણઘટતી માગણી ન કરવાના ન્યાય માટે પણ બીજા ઉપાયો ખૂટે ત્યાં સુધી હડતાલ જેવા ઉપાય ન લેવાનો નિશ્ચય કરવો જોઇએ. પરંતુ એવા નિશ્ચયથી આપણું કામ સરતું નથી. આપણે તો એ આપણો નિશ્ચય શેઠીયાઓની પાસે જઇને તેમની આગળ પ્રગટ કરી, આપણે વિષે તેમનો વિશ્વાસ ઉત્પન્ન કરવો રહે છે; જે ભયને લીધે તેઓ આપણને ૩૫ ટકા આપતાં સંકોચ ખાય છે, તે ભય દૂર કરવો રહે છે. આ માટે સત્વર પગલાં લેવા કારીગરોને મારો ખાસ આગ્રહ છે.