પૃષ્ઠ:Amdavad na Milmajuroni Ladat no Itihas.pdf/૧૨૨

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
 


માટે વીમો ઉતરાવવો જ જોઈએ, અને એ વીમા માટે પ્રીમીયમ ભરી શકે એટલી સગવડ તેને રહેવી જોઈએ.

(૬) કેળવણી—કારીગરોએ પોતાનાં છોકરા છોકરીઓને કેળવણી આપવી જોઈએ. કેટલાક કારીગરો પોતાનાં છોકરાંને નિશાળે મોકલે છે, પરંતુ તેમની સંખ્યા બહુ નાની છે. તેનો ખર્ચ પણ ઉપરના અંદાજમાં ગણ્યો નથી.

હવે આ વધારાની બાબતનો વિચાર ન કરીયે તોપણ ઉપરના અંદાજ પ્રમાણે નાના કુટુંબને જુલાઈ મહિનાનો ખર્ચ રૂ. ૨૪ જેટલો ગણાય, જ્યારે તેની આવક તો માત્ર રૂ. ૨૨ જેટલી જ જણાવવામાં આવી છે. એટલે મોંઘવારી પહેલાં પણ તેનો નિભાવ મુશ્કેલીથી જ થતો હોવો જોઈએ.

પરંતુ આવાં નાનાં કુટુંબો તો કારીગરવર્ગમાં પ્રમાણમાં થોડાં જ છે; અને ઉપર જણાવવામાં આવ્યું છે તે પ્રમાણે સાધારણ રીતે તે છ થી સાત માણસનાં બનેલાં હોય છે. એટલે એવાં કુટુંબના શો ખર્ચ થાય તે જોવાની જરૂર છે.

સાળખાતાનો કારીગર—બે સાંચા ચલાવનાર—જાતે મુસલમાન. કુટુંબ માણસ ૬—૧ પુરુષ, ૨ સ્ત્રીઓ (તેમાં ૧ ડોસી), ૩ છોકરાં—કમાનાર પુરૂષ ૧.


માસિક ખર્ચ

ચોખા ૧ાા મણ રૂા. ૪-૦-૦ ૧૪-૧૪-૦
દાળ ૦ાાા મણ રૂા. ૧-૧૨-૦
ઘઉં ૩ મણ રૂા. ૬-૧૨-૦
માંસ ૪ શેર રૂા. ૦-૮-૦
લાકડાં ૬ મણ રૂા. ૧-૧૪-૦