આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જે એકનિષ્ઠ થઈ ભક્તિયોગ વડે મને સેવે છે તે આ ગુણોને વટાવીને બ્રહ્મરૂપ બનવાને યોગ્ય છે.૨૬.
આ બ્રહ્મની સ્થિતિ તે હું જ, શાશ્વત મોક્ષની સ્થિતિ તે હું, તેમ જ સનાતન ધર્મની અને ઉત્તમ સુખની સ્થિતિ પણ હું જ છું. ૨૭.
જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'ગુણત્રય-વિભાગ-યોગ' નામનો ચૌદમો અધ્યાય અત્રે પૂરો થાય છે.
૧૪૫