આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હે અનધ ! આગુહ્યમાં ગુહ્ય શાસ્ત્ર મેં તને કહ્યું . હે ભારત ! એ જાણીને મનુષ્ય બુધ્ધિમાન થાય અને પોતાનું જીવન સફળ કરે. ૨૦


ૐ તત્સત

જે બ્રહ્મવિદ્યા પણ છે તેમ જ યોગશાસ્ત્ર પણ છે એવી આ શ્રીભગવાને ગાયેલી ઉપનિષદમાં આવેલા શ્રીકૃષ્ણાર્જુન વચ્ચેના સંવાદનો 'પુરુષોત્તમ - યોગ' નામનો પંદરમો અધ્યાય અત્રે પૂરો થાય છે.

* * *
૧૫૩