આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૧૫
૧૯૧૬
૪૧,૨૩૬
૫૬,૦૧૩
૫૯,૪૩૬
૮૧,૧૩૯

નિદોષ ઠરેલા.

૧૯૧૩
૧૯૧૪
૧૯૧૫
૧૯૧૬
૮૦૦
૯૩
૪૭
૧૨૬

આંકડાઓ પોતાની મેળે જ બોલશે કે જાપાને બે કરોડ કોરીયાવાસીને કેવી કુશળતાથી ઠેકાણે આણ્યા ! બે કરોડ કંગાળ પ્રજાજનોના ગળામાં સત્તર હજાર અમલદારોનું લોખંડી ચોગઠું આજે લટકી રહ્યું છે.

જુલમ ન સહેવાય ત્યારે અજ્ઞાન પ્રજાજન શું કરે ? ને શું ન કરે ? એને જીવવું અસહ્ય લાગે. જાલીમોના લોહીને માટે એનો પ્રાણ પોકારી ઉઠે. એક નાદાન પ્રજાજનના અંતઃકરણમાં પોતાની માતાને માટે વેદનાની જ્વાળા મળે ત્યારે એ અજ્ઞાન જીવ બીજું શું કરે ? ૧૯૦૯ની સાલમાં રેસીડન્ટ જનરલ કુમાર ઈટોનું એક કોરીયાવાસીએ ખૂન કર્યું. જાપાની જુલ્મને જાગૃત કરવા આ એકજ માણસનો અપરાધ બસ હતો. લશ્કર છુટ્યું, ધરપકડ ચાલી, અખબારો જપ્ત થયાં, અને આખરે ચાર હજાર વરસનો પુરાતન એક સ્વતંત્ર દેશ જાપાનનો એક પ્રાંત બની ગયો. ચાલીસ સૈકાનો ઇતિહાસ એક પળમાં

૩૮