આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી હોતાં. અસંખ્ય ઝૂંપડામાં રાચરચીલું , પેટીપટારા લૂગડાંલત્તા નથી હોતાં અને અસંખ્ય માણસો આત્ર પહેરેલાં કપડાં ઉપર પોતાનો નિર્વાહ કરે છે.

એક બીજો અનુભવ પણ નોંધવા યોગ્ય છે. ચંપારણમાં વાંસનો ને છાસનો તોટો નથી હોતો. લોકો બીતિહરવામાં જે નિશાળનું છાપરું બાંધ્યું હતું એવાંસનું અને ઘાસનું હતું. કોઈએ તેને રાતના બાળી મૂક્યું. શક તો આસપાસના નીલવરોના માણસો ઉપર ગયો હતો. ફરી વાંસને ઘાસનું મકાન બનાવવું તે યોગ્ય ન લાગ્યું. આ નિશાળ શ્રી સોમણ અને કસ્તૂરબાઈના તાબામાં હતી. શ્રી સોમણે ઈંટોનું પાકું મકાન બાંધવાનો નિશ્ચય કર્યો ને તેમની જાત મહેનતનો ચેપ બીજાઓને લાગ્યો, તેથી પKઅવારમાં ઈંટોનું મકાન ઊભું થઈ ગયું. અને ફરી મકાન બળવાનો ભય ન રહ્યો.

આમ નિશાળો, સુધરાઈ અને દવાનાં કામોથી લૂમાં સ્વયંસેવકોને વિષે વિશ્વાસ અને આદર વધ્યાં, ને તેમની ઉપર સારી અસર બેઠી.

પણ મારે દિલગીરીની સાથે જણાવવું જોઈએ કે આ કમ કાયમ કરવાની મારી મુરાદ બર ન આવી. સ્વયંયંસેવકો જે મળ્યા હતા તે અમુક મુદ્દત ને સારુ જ મળ્યા હતા. નવા બીજા માવામાં મુશ્કેલી આવી અને બિહારમાંથી આ કામને સારુ યોગ્ય કાયમી સેવકો ન મળી શક્યા. મને પણ ચંપારણનું કામ પૂરું થયું તેવામાં બીજું કામ જે તૈયર થઈ રહ્યું હતું, ત્ ઘસડી ગયું. આમ છતાં છ માસ લગી થયેલા કામે પણ એટેલે લગી જડ ઘાલી કે એક નહીં તો બીજા સ્વરૂપમાં તેમની અસર આજ લગી નભી રહી છે.

૧૯. ઊજળું પાસું

એક તરફથી સમાજ સેવાનું કામ , જે મેં ગયામ્ પ્રકરણોમાં વર્ણવ્યું છે, તે થઈ રહ્યું હતું, ને બીજી તરફથી લોકોનાં દુઃખની કહાણીઓ નોંધવાનું કામ વધતા પ્રમાણમાં ચાલી રહ્યું હતું. હજારો લોકોની કહાણીઓ લખાઈ તેની અસર થયા વિના કેમ રહે? મારે ઉતારે જેમ જેમ લોકોની આવજા વધતી ગઈ તેમ તેમ નીલવરોનો ક્રોધ વધતો ચાલ્યો. મારી તપાસને બંધ કરવાના તેમની તરફથી થતા પ્રયત્નો વધતા ગયા.