આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૭
સન્નારી-શકુંતલા.

આ વૃત્તાનમાંથી પતિભક્તિનું મહાન શિક્ષણ લેવા ઉપરાંત ખરા પ્રેમથી જ થયેલું લગ્ન કેવું ટકે છે ને સુખકારક નીવડે છે તે સમજવાનું છે. પણ તેમાં એક વાત જેવાની એ છે કે માતપિતા કે જો કોઈ ગુરૂજન હોય તેની સંમતિ વિના પિતાની મેળેજ કરેલા લગ્નમાંથી કેવાં માઠાં પરિણામ થાય છે; માટે પ્રેમયુક્ત છતાં ગુરૂની આજ્ઞા લઈ લગ્ન થાય તેજ ઊંચિત જાણવું