આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨: બંસરી
 

આ સ્થળ જોયેલું નહિ એટલે આજુબાજુ ફરીને તે દરવાજા પાસે આવ્યો. હું ત્યાં ઊભો જ હતો. મને ચિહ્ન આવડતું હતું એટલે હું અંદર જઈ શક્યો; સુરેશ બહાર રહી ગયો એટલું જ નહિ, પણ કોઈ બહારનું માણસ કમ્પાઉન્ડની અંદર દાખલ થયું છે એવી શંકા પણ તેણે ધ્યાનમંદિરના રક્ષકોમાં ઉપજાવી.