આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મૃત્યુનો મુજરો
૧૭
 



મૃત્યુનો મુજરો

'જાણ્યું જાણ્યું મેં તો હેત તમારું જાદવા રે — ઢાળ


એના કારાગારે આવી મૃત્યુ નાચિયું રે
નિધન નાચિયું રે.
એની સેજલડીને ફરતું મૃત્યુ નાચિયું રે.
નિધન નાચિયું રે

ભીષણતા પોતાની ભૂલી
નિશ્ચેતનતા થનગન દૂલી;
ઝૂલી ગૂલી રમઝુમ પગલે રાચિયું રે
 નિધન નાચિયું રે — એના૦ ૫

ભૂતાવળ મંગળ રવ ગાયે.
કાળ તણે ઘર પૂજન થાયે,
જીવનના હર્તાએ જીવન જાચિયું રે
 નિધન નાચિયું રે — એના૦