આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

મૃત્યુ સાજન-ઘેરે જતી સુંદરીને રૂપે નૃત્ય કરતું કરતું છેક ગાંધી-ચરણે ઝૂકીને લવિત નૃત્યપગલે જ પાછું સિધાવ્યું એવો ભાવ મારા 'મૃત્યુનો મુજરો’ માંહેનો છે. ઉપવાસના પારણા પ્રસંગે પણ આખી જમાત ભેગુ- બેશક લજવાઈને વેગળુ-મૃત્યુ ધૂંઘટ ખેંચીને બેઠું હોવાનું બનાવ્યું છે પણ એને તો સ્વામીએ પાસે બોલાવીને જુહાર કીધા, આર્શીવાદ આપ્યા, કુશળ સમાચાર પૂછ્યા, સામે મૃત્યુએ ધૂમટો ખોલી સ્વામીના વારણા લીધા. આ વેળાના ગાંઘી-મૃત્યુ મેળાપનું મારુ આવું દર્શન છે

મુંબઈ નગરીમા મહાત્માજીના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવા મુસ્લિમ બહેનોની સભા મળેલી ત્યાં જે બન્યું તે પરથી ગાયું – 'ખુદા આબાદ રાખે !’

સર તેજબહાર સપ્રુ અને શ્રી રાજાજી વગેરેએ દિલ્હી ખાતે તેડેલી 'આગેવાન-પરિષદ' વિશે લાગણીઓની આપદા ચુપ રહી શકી નથી. એ વેળાને હળવું અને ભારે ખેદ રૂપ મળ્યા છે 'અગેવાન આંધળા જેના'એ મશ્કરીને વાચકો ક્ષમ્ય ગણે સર તેજબહાદુરની જ ઉક્તિનો એમાં હવાલો છે, કે ‘ગાંધીજીનુ અવસાન અટકે તો ચમત્કાર જ ગણાશે. પણ એ વાત જો બને તો દેશે શાંત રહેવું. દેખાવો ન કરવા વગેરે'

આવા બોલને વિનોદ રૂપે કાવ્યમાં વહાવી દેવા એજ આપણે માટે સલામત છુટ્કારો છે પછી ગંભીરતાથી 'એ ત્રણસોને' ગવાયું છે.

'બાપુનો બરડો' એ ફૂલછાબમાં પૂર્વે આવી ગયું છે, પણ ગ્રંથસ્થ પ્રદેશમા નવું છે 'નિવેદન’ [પા. ] આ પ્રસંગનુ નવીન છે

'જન્મનોમના અનુતાપ' અને 'ખમા ખમા લખવાર' એ બન્ને મારા કાવ્યસંગ્રહ 'એકતારો'માં છે અને 'પરાજિતનું ગાન'થી માટી 'ધરની માગે છે ભોગ' એક 'યુગવંદના'માં છે.

શ્રી દુલાભાઈના આહીં ઉતારેલ ગાંધી - ગીતો એમના નિતસંગ્રહ કાગવાણી ભાગ બીજામાંથી ઉપાડેલ છે એની મેં લખેલ પ્રસ્તાવનાના પાના ૧૦-૧૧-૧૨-૧૩-૧૪માં ગીતોની આમ કૃતિઓનું મેં દર્શન કરાવ્યું. સાંગોપાગ કસબ એમનો જ મૌલિક છે અને તે એક ગ્રામ્ય કવિનો છે તે જ વિવેકાઇ છે, રાજકારણમા કે અર્થ કાવ્યમાં નહિ સમજનાર ગ્રામ્યકવિ ગાંધીજીવનની ખુબીઓને શી અજબ જુક્તિથી પકડી લે છે તેનું દ્રષ્ટ્રાંત આ ગીતો છે.

એ તો શ્રી દુલા ભગતે ૭૭-૭૮ની સાલમાં લખ્યા છે અને સભા