આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૪
બાપુનાં પારણાં
 






ધૂણી બળે


(નાગા નિરંજન બાવાની કોઈ ધૂણી કોઈ દિવસ બુઝાય નહિ. રાત ને દિવસ બળ્યા જ કરે તેમ પુ. ગાંધીજીના હૈયામા દેશદાઝની જે ધૂણી રાત દિવસ બળે છે તે બીજી કોઈ રીતે બુઝાય નહિ. એ રીતે આખો ભાવ બાવાજીની ધૂણીનો છે. તપસ્વી તપ તપે ત્યારે એને મેળવવા ઈંદ્રરાજ તેની પાસે રિદ્ધિસિદ્ધિ મોકલે, અપ્સરાઓ મોકલે, દેવ બનાવવાની લાલચ આપે, એ રીતે એના બધાય ઉપાય કરે કારણ કે તપસ્વી બરાબર તપ તપે તો ઈંદ્રને પણ તેને શરણે થવું જોઈએ. આ ગીતની એકેક કડીએ ગાંધીજીના મોટામોટા પ્રસંગોની આખી કલ્પના છે.)

(ભજન કાફી)


બાવલીઆની ધૂણીમાં આગ બળે,
ધૂણીમાં આગ બળે;
બાવલીઆનાં અંગેઅંગ પ્રજળે;
બાવલીઆની ધૂણીમાં આગ બળે.

હાડનું પીંજર તપ તપે એ વળ્યું ન પાછું વળે,
જોગીડા કેરા જોગ નીરખી, ઈંદ્રાસન ખળભળે
—બાવલીઆની૦