આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬ મું
પ્રચંડ ભઠ્ઠી
 


સાક્ષીઓની ઊલટતપાસ કરીને તેમને તોડી શકે એવું હતું. પણ એટલી તકલીફ તેઓ શા સારુ લે ?

છતાં શ્રી. વલ્લભભાઈની સલાહથી ભાઈ શિવાનંદે, મૅજિસ્ટ્રેટની આંખ ઉઘાડવા, બીજા કેસો આવા ને આવા ઘણા આવશે એ બદલ ચેતવણી આપવા, એ કોથળા ચડાવવાના દૃશ્યના ફોટોગ્રાફો મૅજિસ્ટ્રેટ સામે રજૂ કર્યા. સાક્ષીઓએ કહ્યું હતું કે જપ્તીઅમલદાર તો ચાલ્યા ગયા હતા; પણ ફોટોગ્રાફમાં હૅટ ચડાવીને સાહેબ ઊભેલા મોજૂદ હતા ! અમૃતલાલ તો હતા જ નહિ !

પણ ‘ગુના વખતનો આબેહૂબ ચિતાર રજૂ કરનારા’ ભાઈ શિવાનંદના ફોટોગ્રાફો મૅજીસ્ટ્રેટ શેનો માને ? એમાં થોડો જ શિવાનંદ અને અમૃતલાલની ભાષાનો ફોટોગ્રાફ આવી શકતો હતો ? અને ફોટોગ્રાફ પાડતાં અમૃતલાલને ત્યાંથી ખસી જવાનું કહેવામાં આવ્યું હોય તો ! પણ પેલા જપ્તીઅમલદારને ફોટોગ્રાફર ત્યાં ઊભા રહેવાનો હુકમ ન જ કરી શક્યા હોય ! તેની જુબાની શા સારુ ન લેવામાં આવી ?

મૅજિસ્ટ્રેટે શ્રી. સન્મુખલાલને છ મહિનાની સખ્ત કેદની સજા કરી અને શિવાનંદ અને અમૃતલાલને નવ મહિનાની સખ્ત (બે એક જ ગુનામાંથી ઉત્પન્ન થતા આરોપો ઉપર બે એક પછી એક) સજા કરી ! ભાઈ શિવાનંદ અને અમૃતલાલ કાઠિયાવાડનાં બલિદાન હતાં. તેઓ ગયા એટલે તેમનું સ્થાન લેવાને તેમના કરતા સવાયા શ્રી. અમૃતલાલ શેઠ (એમ. એલ. સી.) અને શ્રી. બળવંતરાય મહેતા, સ્વયંસેવક તરીકે આવીને ઊભા. શ્રી. ચિનાઈના જવા પછી ડા. ચંપકલાલ ઘિયા તેમનાં પત્ની સાથે આવ્યા અને મોતામાં પડાવ નાખ્યો. આમ એક સૈનિક પોતાની જગ્યા પોતાનાથી અદકાવડે પુરાવ્યા વિના જેલમાં જતો નહોતો.

સરકારની બદનામીને માટે આ દૃશ્યો કરતાં વધારે શું જોઈએ ?

આ બધું ૧૫ મી મેએ બન્યું.