આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બારડોલીમાં શું બન્યું ?

સરકારપક્ષ

“તમે ઊંઘ આરામમાં પડી ગયા હતા અને આંખો મીંચીને માથે પડે તે ભર્યે જતા હતા. ઍંડર્સન સાહેબે તમારી આંખ ઉઘાડી તે બહુ સારું કર્યું.”

યા પ્રકરણમાં જણાવેલી અંધાધૂંધીનો ભોગ અનેક તાલુકાઓ થઈ પડ્યા તેમાંનો એક બારડોલી પણ હતો. બારડોલીની છેલ્લી જમાબંધી સને ૧૮૯૬ માં થઈ હતી, અને મુંબઈ ઇલાકામાં ચાલતી પ્રથા પ્રમાણે ત્રીસ વરસ પછી એટલે સને ૧૯૨૬ માં એમાં સુધારા (‘રિવિઝન’) કરવાનો સમય આવી પહોંચ્યો હતો. આ સુધારાનું કામ પ્રોવિન્શ્યલ સિવિલ સર્વિસના શ્રી. જયકરને સોંપવામાં આવ્યું, જે એ વેળા સૂરતના એક ડેપ્યુટી કલેક્ટર હતા. એમને આવાં કામનો કશો જ પૂર્વ અનુભવ નહોતો. એમણે ૧૯૨૫ ની શરૂઆતમાં પોતાનું કામ શરૂ કર્યું, અને પાંચ મહિનામાં બારડોલી અને ચોર્યાસી બે તાલુકાનાં ‘રિવિઝન’ તૈયાર કરીને સરકારને મોકલ્યાં. બારડોલીના રિપોર્ટ ઉપર તા. ૩૦ મી જૂન, ૧૯૨૫ ની તારીખ છે, પણ તે રિપોર્ટ તા. ૧૧ મી નવેમ્બર, ૧૯૨૫ સુધી સરકારને મોકલી શકાયો નહિ. કારણ શ્રી. જયકરે રિપોર્ટની

સાથે મોકલેલા કાગળમાં જણાવ્યું છે તે પ્રમાણે “રિપોર્ટનો ખરડો

૧૬