આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪ થું
ગૂંચઉકેલ ?
 


છે, પણ એ જ જમીનનો આકાર રૂ. ૨૧૮-૬ છે (એટલે કે શ્રી. જયકરે આપેલી રકમનું બમણું છે). એટલે આ આંકડામાં ક્યાંક ભયંકર ગોટાળો હોવો જોઈએ, એટલે શ્રી. જયકરે ગણોત મહેસૂલનું ૧૧.૨૯ ગણું છે એમ જણાવ્યું છે તેને માટે જરાચ આધાર નથી. છતાં એ આંકડાને આધારે સેટલમેંટ કમિશનર ઍંડર્સને લખ્યું કે એ ગામને ત્રણ વર્ગ ચઢાવી પહેલા વર્ગમાં મુકાય છતાં એનો આકાર વધારે પડતો નથી એમ કહેવાય.”

હશે આ આંકડામાં વાચકને વધારે ઉતારવાની હું જરૂર જોતો નથી, જોકે રિપોર્ટમાં તો એ આંકડાના બેહૂદાપણા ઉપર અને મિ. ઍંડર્સને એના ઉપર આધાર રાખવાની જે ભૂલ કરી તે ઉપર પાનાનાં પાનાં ભર્યો છે.

બીજી એક શોધ અમલદારોએ એ કરી કે મિ. ઍંડર્સન તાલુકાની ત્રીજા ભાગની અથવા લગભગ અર્ધી જમીન ગણોતે અપાઈ છે એમ માનવામાં ભીંત ભૂલ્યા હતા : “શ્રી. જયકરનો સાત વર્ષનો ગણોતનો આંકડો ૪૨,૯ર૩ એકર લઈને મિ. ઍંડર્સને જમીનના કુલ આંકડા ૧,૨૬,૯૮૨ એકરની સાથે તેનું પ્રમાણ કાઢ્યું; જ્યારે ૪૨,૯૨૩ એકરનું પ્રમાણ તો એક વર્ષની કુલ જમીન સાથે ન નીકળે પણ ૧,૨૬,૯૮૨ એકરના સાત ગણા કરીને તેની જ સાથે નીકળી શકે. એટલે ગણેાતે અપાતી જમીન લગભગ અર્ધી છે એમ કહેવામાં મિ. એંડર્સને ભારે થાપ ખાધી છે.” અમલદારોની પોતાની ગણત્રી પ્રમાણે કુલ ગણોતે અપાતી જમીન સેંકડે ૯ ટકાથી ૧૧ ટકા જેટલી હોવી જોઈએ. અમે ૬ ટકાની અટકળ કરી હતી. અને એ અટકળ સાચી છે, કારણ એ કુલ ગણોતે અપાયેલીમાંથી કહેવાતી ગણોતે આપેલી બાદ જાય તો શુદ્ધ ગણોતે અપાયેલી કદાચ ૬ ટકા જ રહે.

વેચાણના દાખલાઓની પણ તપાસ તો શેની જ હોય? એ પણ અમલદારોએ કેટલાંક ગામોની તપાસ ઉપરથી જોયું. અને પરિણામે એ નિર્ણય ઉપર આવ્યા કે શ્રી. જયકર અને મિ. ઍંડર્સને ગણોતના આંકડાને આધારે ગામડાંના વર્ગોમાં જે ફેરફાર કર્યા છે તે આખા રદ કરવા જોઈએ.

ત્યારે અમલદારોએ પોતે શી રીતે ગૂંચ ઉકેલી? એ લોકો ભલા થયા હોત તો કહી શકતા હતા કે તાલુકાની સામાન્ય

૩૩૫