આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સરકારની ધમકીઓ
 


અત્યારે બારડોલી તાલુકામાં સવિનય કાનૂનભંગની હિલચાલ ચાલી રહી છે એની તો ખરેખર કોઈ માનવંત સભાસદ ના પાડી શકે એમ નથી, અને સવિનય કાનૂનભંગ એક અંધાધૂધી જ છે એ વિશે માનવંતા સભાસદોને યાદ આપવાની મારે ભાગ્યે જ જરૂર હોય ભલે ને આમાં સામેલ રહેનારાઓને પાકે પાયે ખાતરી હોય કે તેમનો દાવો ન્યાયપુરઃસરનો છે, પરંતુ અંધાધૂંધી તે અંધાધૂંધી જ છે — ભલે ને તે અંધાધૂંધી પેદા કરાવનારા કે તેમાં સામેલ રહેનારાએ પોતાના વિચારમાં મક્કમ હોય, અથવા તો ભલે ને એ અંધાધૂંધીથી કેટલાંક સ્ત્રીપુરુષોમાં બીજાં સારાં કાર્યોને ચોગ્ય હોય એવા ગુણો આવે. વળી, કોઈ પણ રાજદ્વારી બંધારણે કાયદાની અવગણના કરવાથી આવનારાં અનિવાર્ય પરિણામોનો જાહેર પ્રજામતને સ્પષ્ટ સમજ હોવી જોઈએ. એક વખત માણસોને ખાતરી થઈ જાય કે કાયદેસર રીતે સ્થપાયેલી કારોબારી સત્તાને ઊંધી પાડવી એ વાજબી છે, તો તો પછી ધારા બનાવવાનું કાર્ય કરતી ધારાસભાને પડકારી નાંખતાં કે કાયદાની અર્થવ્યાપ્તિ આપતા ન્યાયખાતાને પક્ષપાતનો આરોપ ઓઢાડતાં તેમને કશી વાર લાગવાની નથી. આમ સામાજિક જીવનના પ્રત્યેકક્ષેત્રમાં કાયદા માટેનું માન એ તલસ્પર્શી મુદ્દો છે, અને કોઈ શહેરી કેશહેરીઓના તરંગથી તેને ઉથલાવી નાંખવાનો પ્રયત્ન કરવો એનો અર્થ સીધી અરાજતા જ છે.”

૩૮૩