આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.


ખુમારીના પાઠ

“તમારી શાહુકારી જ તમને નડી છે, તમારી આંખમાં ખુમારી આવવા દો ને ન્યાયને ખાતર અને અન્યાયની સામે લડતાં શીખો.”

‘તંત્રરચના’વાળા પ્રકરણમાં આપણે જોઈ ગયા કે શ્રી. વલ્લભભાઈ લશ્કરી છાવણીઓ રચવાની સૂચના રામબાણ છૂટ્યા પછીના પોતાના પહેલા જ ભાષણમાં કરી ચૂક્યા હતા. બીજા ભાષણોમાં આ સૂચનામાં વધારે વીગતો તેઓ પૂરતા જતા હતા. મહિનાની આખરે તો આ સૂચનાનો અમલ સરસ થઈ રહ્યો હતો એમ સૌ કોઈ જોઈ શકતું હતું. બામણી વિભાગનો કિલ્લો દરબારસાહેબ પાસે હતો એ આપણે જોઈ ગયા. એ વિભાગનાં ૧૫ ગામના લોકો એકઠા થયા હતા. ભાઈ ગોરધનદાસ ચોખાવાળાએ તે વખતે વાંચેલું નિવેદન, બીજા બધા વિભાગમાં પણ એ જ પ્રકારની તાલીમ અને શિસ્ત કેવી રીતે જળવાતી હતી, અને સરદારને માટે કેવી રીતે ખબરો તૈયાર રખાતી હતી એ બતાવવાને માટે, કંઈક ટુંકાવીને, અહીં આપું છું. તંત્રરચના કેટલી સફળ થઈ હતી, સરદારને કેવા સેવાનિષ્ઠ સૈનિકો મળી રહ્યા હતા એ પણ એમાં જોઈ શકાય છે :

“અમારા વિભાગમાં કુલ સત્તર ગામો છે. તેમાં બે ગામો મિયાવાડી અને કલસાડ ઊજડ છે, એટલે વસ્તીવાળાં પંદર ગામ છે. આજ આપની સમક્ષ એ પંદરે ગામના લોકો ભેગા થયા છે. એ પંદર ગામો નીચે પ્રમાણે છે :

બામણી, કડોદ, અકોટી, સિંગોદ, હરિપરા, મંગરોળિયા, રાજપરા, મોરી, ભામૈયા, ઓરગામ, મસાડ, નસૂરા, સમથાણ, જુનવાણી અને

૫૯