આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧ મું
‘નાદીરશાહી'
 


પેલાની આંખ અને કાન ચોળાવે, અરે બુદ્ધિને ચોળાવે, એવા સવાલજવાબ કરી શકે એવી કલ્પના મહિના ઉપર કોઈએ કરી નહોતી.

સ૦ કેમ ભરતા નથી ?
જ૦ વધારો રદ કરો એટલે ભરીએ.
સ૦ તમારા ગામો ઉપર તો જૂજજાજ વધારો જ આવે છે.
જ૦ જૂજજાજ પણ ક્યાંથી લાવીએ ? પોણો મણ પાણીમાં ત્રણ શેર લોટ નાંખી રાબડો બનાવીએ તેમાંથી તમે અચ્છેર લોટ લઈ લેવા માગો છો.
સ૦ વધારો તો સાચો જ છે. ધારાસભામાંયે કાયમ રહ્યો છે. માટે નહિ ભરો તો જમીન ખાલસા થશે.
જ૦ અરે સાહેબ, ધારાસભાની વાત અમે નહિ સમજીએ.

ફૂલમાં ફૂલ કપાસકા, ઓર ફૂલ કાયકા ?
રાજામાં રાજા મેઘરાજા, ઓર રાજા કાયકા ?

સ૦ એટલે શું ?
જ૦ ખાલસા તો મેધરાજા કરવા માગે તો થાય. બીજા કોઈ રાજાથી ન થાય.

આ વધતા જતા બળને કેમ સાંખી રહેવાય ? ડેપ્યુટી કલેક્ટરે તો ઉત્સાહમાં માનેલું હશે કે આ ‘વાણગાં’ઓ અને ‘ઢોડિયાં ચોંધરાં' જપ્તીની નોટિસથી જ ડરીને પૈસા ભરી દેશે. મિ. ઍંડર્સને પણ ધારાસભામાંથી સંભળાવ્યું હતું કે ‘સરકાર આ બાબતમાં જરાય પાછું ફરીને જોવાની નથી.’ પણ પહેલા બહાર ખાલી ગયા, અને હવે તો વધારે જલદ ઉપાય લીધે જ છૂટકો છે એમ સરકારી અમલદારોને લાગવા માંડ્યું. એટલે વળી પાછા જલદ ઉપાયને માટે પણ વણિકો જ શોધવામાં આવ્યા. તા. ૨૬ મી માર્ચે બાજીપરાના શેઠ વીરચંદ ચેનાજીને બારણે મહાલકારીની સહીની એક નોટિસ ચોડવામાં આવી, જેમાં જણાવ્યું હતું કે જો તે વાલોડ ખાતાની પોતાની જમીનનું રૂ. ૧૬૦–૫–૪ મહેસૂલ તા ૧૨–૪–૨૮ સુધીમાં ન ભરે તો જમીન ખાલસા કરવામાં આવશે. એ જ દિવસે વાલોડના

૭૯