બરાબર શ્રી શ્રદ્ધાનંદજીની ચોથી સંવત્સરી ઉપર જ આ પુસ્તકની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરી શકાય છે એ લેખકનું સદ્ભાગ્ય છે. તરૂણજીવનના કૈં કૈં કોયડા રજૂ કરતી અને તેનો વીરતાભર્યો ઉકેલ કાઢતી આ આપવીતી ગુજરાતનાં હજારો યુવાન-યુવતીઓની રગેરગમાં સીંચાઈ જાય એ જોવાની આકાંક્ષા છે.
રાણપુર ૧૫ : ૧૨ : '૩૧ |
પહેલી આવૃત્તિ માર્ચમાં છપાઇ નવ માસમાં બે હજાર નકલો ખૂટી જતાં આ ડીસેમ્બરમાં જ બીજી આવૃત્તિ કાઢવાનું સૌભાગ્ય આ પુસ્તકને પ્રાપ્ત થયું છે તે પુસ્તકના નાયક પ્રતિનો પૂજ્યભાવ અને પુસ્તકના સંપાદક પ્રતિનો વાંચનારી દુનિયાનો પ્રેમ બતાવે છે. પૂજ્ય સ્વામીનું જીવન આપણાં ઘેરેઘેર વંચાય, હૃદયેહૃદયમાં સ્થપાય અને ડગલે ડગલે અનુસરાય એ મનોકામના, ભાવના અને પ્રાર્થના છે.
રાણપુર ૨૮ : ૧૨ : '૨૭ |
} |
આ પુસ્તકના સંપાદન પરત્વે નીચેનાં પુસ્તકોનો ઋણસ્વીકાર કરૂં છું.
૧. કલ્યાણ-માર્ગકા પથિક : સ્વામીજીનું પોતાનું લખેલું અને કાશીના જ્ઞાનમંડળ કાર્યાલયે કેવળ સેવાભાવે જ પ્રગટ કરેલું આ આત્મવૃત્તાંત આપોઆપ વડોદરા આર્યકુમાર પુસ્તકાલયના