માટે એક બીજો ભાગ આપવાનો જ રહેશે. એ પૂરવણીમાં સદ્ગતનાં વિપૂલ અને વિસ્મયકારી લેખનોમાંથી પણ યથોચિત દોહન કરી લેવાશે.
આ પુસ્તકની કેટલીએક જરૂરી લેખન-સામગ્રી પૂરી પાડનાર તેમ જ ઇંતેજારીભર્યો આત્મીય ભાવ દર્શાવનાર બંધુ શ્રી શંકરદેવ વિદ્યાલંકાર (ગુરૂકુલ-સુપા : નવસારી) અમારા આભારના અધિકારી છે. બીજો આભાર લાલાજી રચિત પુસ્તકો પૂરાં પાડનાર બંધુ શ્રી રંગીલદાસ કાપડીઆનો થયો છે.
પુસ્તક બે વિભાગમાં વહેંચાયું છે: પ્રથમ વિભાગ 'જીવન-કથા'ના લખનાર ભાઈશ્રી કકલભાઈ કોઠારી છે, બીજો 'જીવન-સ્મૃતિ' નો ભાગ ભાઈશ્રી ઝવેરચંદ મેઘાણીએ લખ્યો છે.
સૈારાષ્ટ્ર સાહિત્યમંદિર રાણપુર : ૧ : ૨ : ૨૯ |
} |
નરવીર લાલાજી'ની પહેલી આવૃત્તિમાં બે વિભાગ હતા : તેમાંથી જીવન-કથાનો ભાગ ઉડાવી દીધો છે. એમાંના પ્રસંગો-લગભગ તમામ આ બાકી રહેલ જીવન-સ્મૃતિમાં સંકળાઈ જાય છે. તે છતાં ચોપડી દસ આનાની હતી, તે ચાર આને આપી શકાય છે.
વસ્તુને જફા પહોંચાડયા વિના આવું વિભૂતિ-સાહિત્ય પાણીમૂલે આપી શકાય એ એક જ નેમથી આ ફેરફાર કર્યો છે.
'બહારવટિયો જોગીદાસ' અને 'એાળીપો' પછી, ચાર આનાની ચે૫ડીની યોજનાનું આ ત્રીજું ફળ છે.
સૈારાષ્ટ્ર સાહિત્યમંદિર અધિક આષાઢ ૧૯૮૭ |
} |