આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
નરવીર લાલાજી

૧૭૦


લાલાજી દાનવીર શેઠ બીરલાની દ્રવ્ય-સહાયથી પંજાબભરમાં અછૂતોદ્ધારને જ કામે લાગી પડ્યા હતા.

અમેરિકામાં પોતે દેશપારી ભોગવતા હતા; પેટગુજારા માટે જાતમહેનત કરી મથવું પડતું; ઘણી વાર ઘેરથી સરકારની ડખલને લીધે ખરચી આવવામાં મોડું થતું; પોતે મુંઝાઈને રડતા હોય; તે ટાણે પણ કોઈ હિન્દી વિદ્યાર્થી એની સહાય વિના એની કનેથી પાછો ન વળતો. વિદ્યાર્થીની કથની સાંભળી પોતે એટલા બધા પીગળી જતા, કે તેજ ઘડીએ ગજવામાં હાથ નાખી જે કાંઈ છેલ્લી મૂડી હોય તે રાજી થઈને આપી દેતા અને પોતે તો પૈસાને અભાવે પુત્ર પ્યારેલાલનાં ટૂંકા કપડાં પહેરીને યુરોપમાં પ્રવાસો કરતા. કોઈ કહે કે 'લાલાજી, આ ઠીક નથી લાગતાં.' પોતે હસીને જવાબ દેતા કે 'કાંઈ નહિ યાર ! એ તો ટૂંકી મુસાફરીમાં ચાલ્યું જાય.'


વીરોનો પણ વીર


ઈ. સ. ૧૯૦૭ નો મે મહિનો ચાલતો હતો. દમનદોર ચારે દિશામાં દેશને ચગદતો હતો. અને એ ઘર્ષણમાંથી અસંતોષનો અગ્નિ ફાટતો હતો; બંગાળામાં બંગભંગની સામે બિપીનચંદ્ર પાલે અાંદોલન મચાવ્યું અને બંગ-યુવકોએ