આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૧

વીરોનો પણ વીર


હથેળીમાં લઈ આત્મસમર્પણની તૈયારી કરી. મહારાષ્ટ્રમાં લો. મા. તિલક જ્વાલા ચેતાવી રહ્યા હતા અને પંજાબમાં ત્યાંની સરકાર જમીન પરનો કર વધારી જાટ કૃષિકારોની કમબખ્તીનો એક ખરડો ઘડતી હતી તેની સામે લાલાજી અને જાટ કોમના નેતા સરદાર અજીતસિંહની જોડલીએ જાહેર મતનો બળવો જગાવવા ઝુમ્બેશ માંડી. લાલાજી તો એના બનારસ મહાસભાના વ્યાખ્યાન પછીથી સરકારપક્ષનાં છાપાંઓએ 'બળવાખોર' શબ્દે ડામી દીધા હતા. એના ઉપર લશ્કરમાં વિદ્રોહ જગાવવાના નિર્મૂલ આક્ષેપો પણ થઈ રહ્યા હતા. સરકાર ચોગમ વિપ્લવના ઓળા દેખતી હતી. એવે વખતે લયલાપૂરમાં જાટોની મેદની મળી. અંગ્રેજ સૈન્યને ઉત્તમોત્તમ સિપાહીઓ જે કોમમાંથી મળતા હતા તે જ આ જાટ કોમની સામે લાલાજીએ જોશીલું ભાષણ કર્યું અને સરકારે સમય વર્તી લીધો. રાવલપીંડીના જે પાંચ નેતાઓને કારાગૃહમાં પૂરવામાં આવ્યા, એ પાંચેને માટે જામીન મેળવવા, ઉશ્કેરાએલા પ્રજાસાગરને શાંત પાડવા, અને જરૂર પડે તો જેલમાં મિત્રોને સાથ કરવા લાજપતરાય યત્નશીલ હતા. સરકારને એક તક સાંપડી.

એક મિત્રે કહ્યું, 'લાજપતરાય, તમારા લયલાપુર ખાતેના ભાષણમાંથી 'રાજદ્રોહ'નું ટીપું નીચેાવવા માટે જમીન આસમાન એક થઈ રહ્યાં છે.'

બીજાએ કહ્યું “કુકા, લોકોના આગેવાન ભાઈ રામસીંગના