૭૨
છેલ્લી આજ્ઞા થઈ કે 'હવન કરાવો !' 'ભજન બોલો !'
અમારા મુન્શી કૃષ્ણભજન કરવા લાગ્યા એટલે પોતે બોલ્યા
કે 'કોઈ નિર્વાણ-પદ બોલો.' તુરત સૂરદાસજીનું પદ ઉપડ્યું.
જાલંધરથી હવનની સામગ્રી આવી પહોંચી. સાંજે હું વેદનું
ગુંજન કરવા લાગ્યો. મારા કાકાએ ગીતાનો પાઠ ઉપાડ્યો.
સાંભળતાં સાંભળતાં જ પિતૃદેવની નાડી બંધ પડી ગઈ.
'મારાં ધર્મકાર્યો તું જ પાર ઉતારજે !' એ પિતૃ-સંદેશ
મારા અંતરમાં ગુંજી રહ્યો.
પરીક્ષાના દિવસો સમીપ આવ્યા. મેં પરીક્ષા પહેલાં બે
દિવસથી વાંચવું બંધ જ કરેલું, એ દેખીને મારા એક
સહાધ્યાયી મુખ્તીયાર બંધુ તો મને જાનવર જ માની બેઠેલા !
અને મેં એ નાદાનને જ્યારે પરીક્ષાના સમય પહેલાં એક
કલાક સુધી પણ ગોખતો જોઈને દયા લાવી એને પોપટમાંથી
મનુષ્યાવતારમાં આણવા યત્ન કર્યો, ત્યારે એ પ્રેમના ઈનામ
રૂપે મને એણે થોડી ગાળો ચખાડી. બીજી અજાયબી મારા
માટે સહુને એ થતી હતી કે ત્રણ ત્રણ કલાકમાં પણ પૂરા