આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
બીરબલ વિનોદ.


રતિ બિન માત, રતિ બિન તાત,
રતિ બિન માનસ લાચત ફીકો;
કવિ ગંગ કહે સુન શાહ અકબર,
નર એક રતિ બિન એક રતીકો.

આ સવૈયો સાંભળી બાદશાહ ઘણો જ આનંદ પામ્યો. થોડીકવાર કેટલાક વિનોદ થયા પછી બાદશાહે પુછ્યું કવિજી!--

દુહો

સબ નદીઅનકે નીર હે, ઉજ્વલ રૂપ નિધાન;
શાહ પૂછે કવિ ગંગકો, જમુના ક્યું ભઈ શ્યામ?

ગંગે હાથ જોડી નમ્રતાથી જવાબ આપ્યો “ ખુદાવિંદ! સાંભળો:—

સવૈયા.

જા દિન તેં જદુનાથ ચલે,
બ્રજ ગોકુલસેં મથુરા ગિરિધારી;
તા દિનતેં બ્રજનાયિકા સુંદર,
રંપતિ, ઝંપતિ, કંપતિ પ્યારી,
ઉનકે નેનનકી સરિતા ભઈ,
(જેસે) શંકર શીષ ચલે જલભારી;
કવિ સંગ કહે સુન શાહ અકબર
તા દિન તેં જમુના ભઈ કારી.

બાદશાહ અત્યંત આનંદ પામ્યો અને એક કીંમતી સરપાવ કવિને આપ્યો; તેમજ બધા દરબારીયોએ પણ ગંગને “ વાહવાહ ” “ શાબાશ, શાબાશ,” ના ઉદ્‌ગારોથી વધાવી લીધો.