આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧
અકબરી સમાયણ


વાર્તા ૫૮.

અકબરી રામાયણ

એક દિવસે બાદશાહ અને બીરબલ એકાંતમાં વાતો કરતા હતા. વાત પરથી વાત નીકળતાં બાદશાહે "અકબરી રામાયણ” રચાવવાની ઈચ્છા પ્રકટ કરી. બીરબલે પણ એ કાર્ય પુરૂં કરવાનો સ્વિકાર કર્યો. બાદશાહની ઈચ્છા જાણીને બીરબલ બોલ્યો “દયાસિંધુ ! એ પુસ્તક રચવામાં ઓછામાં ઓછા બે માસ જેટલો લાંબો સમય વીતી જ જવાનો, તેમજ તેની પાછળ કેટલો ખર્ચ કરવો પડશે એનું બરાબર અનુમાન અત્યારથી જ કરી શકાય એમ નથી. પરંતુ, હાલ તરતને માટે દસ હઝાર રૂપીયા યોગ્ય સાધનો એકઠા કરવા પાછળ જોઈએ જ, એટલે આપ એ રકમ અપાવો તો આજથી જ કાર્ય આરંભ કરી દઉં.”

બાદશાહે દસ હઝાર રૂપીઆ અપાવી દીધા. બીરબલે એ રકમનો વ્યય એવા પ્રકારે કર્યો કે જ્યાં જ્યાં કુવા, તળાવ વગેરે ખોદાવવાની આવશ્યકતા હતી ત્યાં તે ખોદાવ્યા. જ્યારે બે માસ વીતવા આવ્યા ત્યારે પોતાના એક નોકરને માથે કોરા પાનાનું એક મોટું પુસ્તક ચઢાવી બીરબલ બાદશાહ સમિપ હાજર થયો અને જણાવ્યું "હુઝૂર ! અકબરી રામાયણ હવે શીઘ્રજ સમાપ્ત થશે, પણ એમાં માત્ર એક જ વાતની ન્યૂનતા રહેવા પામી છે અને તે વિષે બેગમ સાહેબ પાસેથી ખુલાસો મેળવવો પડશે. પ્રથમ તો, આપ એટલું બતાવો કે જેવી રીતે રામાયણમાં એક નાયક અને એકજ નાયિકા હતી, પણ આપને ત્યાં તો એથી તદ્દન વિપરિતજ છે. આ૫ (નાયક)