આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૬
બીરબલ વિનોદ.


અને સાથે જ, જો તેઓ એમાં નિષ્ફળ જાય તો સખતમાં સખત શિક્ષા કરવાની પણ સૂચના આપી દીધી.

બાદશાહની આજ્ઞા અને સૂચનાઓ દરબારીયોના હાંજાજ ગગડાવી મૂક્યાં. તેઓએ શહેરે શહેર અને ગામે ગામ એ વસ્તુઓ માટે શોધ ચલાવી, પરંતુ નિષ્ફળતા શિવાય કશું ન મળ્યું. ક્યાંથી જ મળે છે ? જો એ જણસો ઝાડપર ફળની પેઠે લાગતી હોય, કાંતો વહેપારીની દુકાને મળતી હોય, અથવા એને કેાઈ વણકર વણતો હોય કે કોઈ કુંભાર ઘડતો હોય તો પત્તો મળે !! કોઈની જ બુદ્ધિ કામ ન લાગી, મહીનોએ પૂરો થવા આવ્યો એટલે ફાંસીએ લટકવાની બ્હીકે તેમના કાળજાઓમાં ધ્રુજારીઓ ઉત્પન્ન કરી મૂકી. આખરે તે બધા બીરબલને શરણ થયા, તેને અત્યંત નમ્રતાપૂર્વક વિનવવા લાગ્યા, અને કહ્યું “રાજાજી ! જો એ પાંચે વસ્તુઓ મેળવી આપો તો અમે આપને પાંચ હઝા‌ર રૂપીયા ઇનામ આપીશું.”

બીરબલે તેમની વિનવણીથી તેમની કફોડી સ્થિતિ જાણી લીધી. તેણે તેમની કરૂણ પ્રાર્થના પ્રત્યે દયા આવતાં, એ વસ્તુઓ મેળવી આપવાનું વચન આપ્યું. પછી બાદશાહ આગળ જઈ તેણે હાથ જોડી અરઝ કરી “જહાંપનાહ ! લંકાપતિએ માગેલી પાંચ વસ્તુઓ શોધી આપવાનું આપે બધા દરબારીયોને જણાવ્યું, પરંતુ એ કામ જેવું તેવું નથી કે સાધારણ માણસ પણ કરી શકે !! અને વળી એ વસ્તુઓ અહીંયાં મળે તેમ પણ નથી, એ તો લંકામાં જ મળી શકે છે, માટે આજ્ઞા આપો તો હું ત્યાં જઈ એ વસ્તુઓ મેળવી આપું.”