આ સાંભળી શેઠને ઘણો જ ગુસ્સો ચઢયો, એમણે
નાક અને ભવાં ચઢાવી બે ચાર ગાળો સંભળાવી દઈ કહ્યું
“નાલાયક, નીચ, નાપાક ! ગૃહસ્થનો પોષાક પહેરી, લાલચ
બતાવી તું મ્હને એકવાર બરાબર રીતે ઠગી ગયો અને
તેની શિક્ષા પણ તને જલ્દીથી જ મળી ગઈ, છતાંયે બીજીવાર
ઠગવા આવ્યો ? પણ હવે હું ઠગાવાનો નથી, એટલા
રૂપીયા મ્હારા ભાગ્યમાંથી ઓછા થયા હશે, ખેર.”
આ સાંભળી બીરબલે કોતવાલને કહ્યું “કોતવાલ સાહેબ ! આ પણ વખતનાં વાજા વાગે છે. એક સ્થળેથી તો નાસીપાસી મળી, પણ દયારામ શેઠને ત્યાં મ્હારી ઉપર ઝરૂર દયા દેખાડવામાં આવશે.” કોતવાલ તેને દયારામ પાસે લઈ ગયો. બીરબલે દયામણે ચહેરે કહ્યું “દયારામ શેઠ ! મ્હને રાજાએ વિના અપરાધે દેહાન્ત દંડની શિક્ષા કરી છે. હવે હું આ જગત્માં માત્ર થોડી જ પળનો પરોણો છું. જોકે એની મ્હને લગારે ચિંતા નથી, પરંતુ આપનું ઋણ મ્હારે માથે રહી જાય તો મ્હારી અવગતિ થાય એ વિચાર મ્હારા અંતરને ચીરી નાખે છે. જો આજને બદલે કાલનો દિવસ મ્હારા દેહાન્તનો હોત તો હું આવી જતાં નાણાં આપને ચૂકવી શક્યો હોત. હજુએ સમય વીત્યો નથી, જો આજે પણ આપ બે હઝાર રૂપીયા રાજાને નજરાણું આપી મ્હને છોડાવી શકોતો કાંઈ મ્હોટી વાત નથી !! કેમકે રાજાએ મ્હને વગર વાંકે જ સઝા કરી છે.”
દયારામે આ પ્રસ્તાવ સાંભળી વિચાર્યું કે “મ્હારા નસીબમાં જે પૈસા ન હતા તે મ્હેં એને આપ્યા ને ગયા