કરાવે છે અને તે વેળા ગમે તેની પણ ફરીયાદ જા
સાંભળે છે.’
બીરબલ બીજે દિવસે અંગે ભસ્મ ચોળી, લંગોટ લગાવી, ફાટેલી ગોદડી, ફુટેલું તુંબડું અને ત્રિશુળાદિ લઇ વિચિત્ર વેશે રાજમહેલના ઝરોખા આગળ જઈ પોકારવા લાગ્યો “ફરિયાદ! ફરિયાદ! ફરિયાદ!” એ સાંભળતા શાહે તેને પોતા પાસે બોલાવી ફરીયાદનું કારણ પૂછયું જેના ઉત્તરમાં બીરબલે કહ્યું: —
પાયા હીરા લાખકા, આયા બેચન કાજ,
છિના લીયા છક્કડ લગા, ગવહરી દગાહીબાજ.
આ દુહો સાંભળી શાહે વિસ્મયતા સાથે પૂછયું “મારા શહેરમાં એવો દગાબાજ સિતમગાર કોણ છે?”
સાધુરામે જવાબ આપ્યો “આલમપનાહ! એનું નામ દીધામાં સાર નથી. મને જવાદો, મારે હવે ફરીયાદ કરવી નથી, મોટા સ્હામે ફરીયાદ કરવામાં ન ફાવીયે. ”
બાદશાહે કહ્યું “એવું નહીં બને. મારા રાજ્યમાં અન્યાય ને હું કદિ પણ ચાલવા દેનાર નથી માટે તને જે ઝવેરી લૂંટ્યો છે તેનું ઝટ નામ બતાવ.”
એટલે સાધુરામે હાથે પગે લાગતાં કહ્યું “ જહાંપ નાહ! નામ દીધાથી હું પોતેજ માર્યો જઈશ, માટે હું આપની ક્ષમા માગીને અરજ કરું છું કે મને જવા દો હું ભૂલ્યો."
બાદશાહ એકનો બે ન થયો અને તેણે હઠ પકડી એટલે બીરબલે કહ્યું “જો મને આપ અભયવચન આપો તો હું તે દગાબાઝ ઝવેરીનું નામ આપને બતાવું.”