આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૬
બીરબલ વિનોદ.

બોજો છે?” બીરબલે કહ્યું “હુજૂર ! એક ગધેડાનો.” આ જવાબ સાંભળી બાદશાહ લજ્જિત બની ચુપ થઈ ગયો

વાર્તા ૧૩.

તુમ બડે ગધે હો.

એક દિવસે દરબારમાં બીરબલને જોરથી વાયુ છુટી ગયો જે સાંભળી ક્રોધિત થઈ બાદશાહ બોલી ઉઠ્યો “તુમ બડે ગધે હો.” બીરબલે કહ્યું “મહારાજ ! હું ઘણોજ અકલમંદ હતો, પરંતુ ગધેડાઓની સંગમાં રહીને હું પણ ગધેડો બન્યો.” બાદશાહ એથી ઘણોજ લજ્જિત થયો.

વાર્તા ૧૪.

આધા આપકા..

એક દિવસ બાદશાહ અને બીરબલ ફરવા નીકળ્યા, માર્ગમાં બાદશાહે બીરબલને પૂછ્યું “તું નીચે જોઈને કેમ ચાલે છે?” બીરબલ બોલ્યો “આ ધરતીમાં મારો બાપ ખોવાયો છે.” બાદશાહે કહ્યું “જો હું ખોળી કાઢું તો શું આપીશ?” બીરબલે કહ્યું “અડધો આપનો.” આ હાઝર—જવાબી સાંભળી બાદશાહ હસી પડ્યો.

વાર્તા ૧૫.

સત્ય અને અસત્ય વચ્ચે કેટલું અંતર ?

એક સમયે બાદશાહે પૂછ્યું “બીરબલ ! સત્ય અને અસત્ય વચ્ચે કેટલું અંતર છે?” બીરબલ બોલ્યો “જહાંપનાહ ! માત્ર ચાર આંગળનો.” બાદશાહે પૂછ્યું