આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૭
કા કારણ ડોલમેં હાલત પાની?

“એ કેવી રીતે?” ત્યારે બીરબલે કહ્યું “હુઝૂર! સત્યને ઓળખનારી આંખ છે, એટલે જે આંખે જોયું એ સત્ય અને આંખથી ચાર આંગળને છેટે કાન છે એણે જે સાંભળ્યું તે અસત્ય હોય છે એટલા માટે સત્ય અને અસત્ય વચ્ચે ચાર આંગળનો અંતર છે.” આ સાંભળી બાદશાહ ઘણોજ પ્રસન્ન થયો.

વાર્તા ૧૬.

કા કારણ ડોલમેં હાલત પાની?

એક દિવસે બપોર ગાળ્યા પછી બાદશાહ મહેલના ઝરોખામાં બેઠો બેઠો લોકોની આવજા નિહાળતો હતો. એવામાં એક પરમ લાવણ્ય સંપન્ન સુંદરી પાણી ભરીને ત્યાંથી જતી દેખાઈ. માથે બેડું મૂક્યું હતું અને હાથમાં ડોલ ઝાલી હતી, જેમાંનું પાણી હાલતું હતું. તે જોઈ બાદશાહ વિચારવા લાગ્યો કે ‘એ ડોલમાંનું પાણી કેમ હાલે છે ? કદાચ એ સુંદરી તેને ઉંચકીને ચાલે છે તેથી તો નહીં હાલતું હોય?’ આવો વિચાર આવતાં તેના મનમાં એક લીટી આવી કેઃ–

કા કારણ ડોલમેં હાલત પાની ?

(અર્થાત્ શા કારણે ડોલમાં પાણી હાલતું હશે ?)

પછી થોડીવારે બાદશાહ દરબારમાં ગયો, પણ તે લીટી તેને યાદજ રહી ગઈ હતી એટલે જ્યારે દરબારનું કાર્ય ખલાસ થતાં બીજી વાતો થવા લાગી ત્યારે બાદ શાહે કહ્યું “હું એક વાક્ય બોલું છું એનો અર્થ કરી બતાવો.” એમ કહી તેણે ઉપલી લીટી કહી. સૌ કોઈ