આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વીશ્વાસ રાખવાથીજ આપની ઉમેદ પાર પડી છે. માટે દેવમાં દેવાતન કે મહતા જે ગણો તે માત્ર યેકીનને આધીનજ રહેલી છે, તેથીજ દેવ મહોટા નહીં, પણ યેકીન મહોટું છે.'

બીરબલનો આ તાત્કાલીક પુરાવો જોવાથી શાહના મનની ખાત્રી થઇ કે સબસે બડા યેકીન હે. એ સીધ્ધાંતને સત્ય ઠેરાવી શાહે બીરબલને ધન્યવાદ દીધો.


-૦-