આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક મુસાફરે કહ્યું કે, 'અમે ઘણા શહેરોમાં ફર્યા, પણ અમારા સવાલનો જવાબ કોઈએ ન આપ્યો તે આપની દરબારમાં મળ્યો. આ ભુમીમાં પણ બીરબલ જેવા રત્નો પડ્યાં છે એવી અમારી ખાત્રી થઈ તેથી અમે અમારે સ્થાને જઈએ છીએ.'

શાહે પુછ્યું કે, ' તમે કોણ છો ? અને ક્યાંના રહીશ છો ?'

એકે કહ્યું કે સરકાર ! દક્ષિણના રહીશ છીએ. પણ બાલપણમાંથીજ અમારે કાશીમાં રહેવું થયું હતું અને ત્યાંજ રહી ભણ્યા છઈયે. અમે બંને ભાઈઓ છઈએ, અમારા પીતા અમારે માટે થોડીક પુંજી મુકી ગયા હતા. પીતાના મરણ બાદ અમે સ્વદેશ તરફ ગયા. ત્યાં અમારા સંબંધીઓ વીષે શોધ કીધી પણ કોઈ ન જણાયાથી અમે પવન તથા મનના નામ ધારણ કરી મુસાફરીએ નીકળ્યા અને ગામોગામ અને નગરે નગરે અમે કોણ છઈએ તે વીષે સવાલ પુછતા બે વરસ ફર્યા, પણ કોઈએ અમારા સવાલનો જવાબ ન આપ્યો. પણ આજ રોજ આપના દરબારમાં આ પુરૂષ રત્નથી અમે જવાબ મેળવ્યો. હવે અમે કાશીમાં જઈને રહેશું.'

શાહે તેમને બીજા કેટલાક સવાલ પુછી તેઓ પંડિત છે એવી ખાત્રી કરી પોતાની પાસે રાખ્યા.


-૦-