આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હશે તે તારી મરજી વગર થયું નહીં હોય. પણ અરસપરસમાં કાંઇ ખટપટ થવાને લીધે તેં આવો રસ્તો લીધો છે. માટે એના રૂપીઆ પાછા આપી દે. અને દરબારને નાહક તસ્દી આપી તે બદલ ૫૧ રૂપીઆ આપ નહીં તો ત્રણ માસ કેદમાં જા.' આવો હુકમ થતાજ તે સ્ત્રી થરથર કંપવા લાગી અને પોતાના પાપનો પસ્તાવો કરી ૫૧ ઉલટ દંડના આપી પછી પોતાના ઘરનો રસ્તો લીધો.


-૦-