આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તું જાતનો કોણ છે એમ પુછતાં તે આંધળાએ કહ્યું કે, ' હું જાતે રજપુત છું અને શાહ સલામતના લશ્કરમાં ચાકરી હતો. પણ ઘડપણ આવતાં મારી આંખો ગઇ તેથી મેં મારી ચાકરી છોડી દીધી અને ગરીબાઇમાં મારૂં ગુજરાન ચલાવું છું. મારો એક છોકરો હતો તે લડાઇમાં મરણ પામ્યો. તેનો એક ન્હાનો છોકરો છે તે મોટો થશે ત્યારે તે શાહ સલામતની નોકરીમાં જોડાશે.' શાહને તે અંધ સીપાઇની દયા આવવાથી તેણે તેનું નામ ઠામ પુછી તેને જીવીકા જેટલો પગાર બાંધી આપ્યો કે તે સુખમાં દહાડા કાઢે.

-૦-