અખે રામ એવો ઓળખ્યો, કાગળ મશે ન જાએ લખ્યો;
ફરતે બેઠે તે નવ મળે, નખશિખ લાગે તે નવ ચળે;
સહેજે સહેજ ઘલાણી હાં, અખા નિરંતર ફાવ્યો રામ. ૫૧૮
વાસ્તે અસ્ત પામ્યું મન જદા, દરિદ્ર હો કે હો સંપદા;
દરિદ્ર નવ ધેન સુખનું માન, જ્યારે પામ્યું મૂળ નિધાન;
આદિ કર્મ કીધે જીવ થયા, કારણ આદિ શાના પર રહ્યા. ૫૧૯
અખા વિચારે વેઠૂમ ઘાટ, આપેયાપ ચૈતનનો ઠાઠ;
પંડિત જાણ કહો એ મર્મ, અણજાણે શું સાધન ધર્મ;
વ્યક્ત કરે તે વક્તા ખરો, અખા અણજાણે ભૂલા ફરો. ૫૨૦
કરતો રહે તો ખૂટે કર્મ, એ આશાય જાણાનો મર્મ;
જે તું જીવ તો કર્તા હરી, જો તું શિવ તો વસ્તુ ખરી;
અખા એમ જાણે તે આપોઆપ, ગીતા વિષે હારી રાખ્યો થાપ. ૫૨૧
ગીતાને અધ્યાય સાતમે, ભક્ત ચાર કહ્યા તે સમે;
તેમાં ત્રણતણો હારી કહે હું ભૂપ, પણ જ્ઞાતા તે મારૂં નિજરૂપ;
કારી પ્રત્યે બહારે રમું, અખા અંતે ત્યાં વિરમું. ૫૨૨
સાને સમજે તે નર ખરો, ભણ્યે ગણ્યે માણે આફરો;
ભણીયા બહુ ભમતા ભાવમાંય, ભાત કુભાત વચ્ચે ના રહેવાય;
રઢ્યથી વાત કરે હરિતણી, અખા અક્ષર મતિ નહિ આપણી. ૫૨૩
જે વિરલા રસિયા હરિતણા, કેસરિસિંહ દીસે નહિ ઘણા;
સુભટનો સૈન્યમધ્યે વિચાર, તેમ માળામુદ્રા સારોદ્ધાર;
અનળપંખી અતિ ઊંચો જડે, અખા કોય દર્શન નવ કરે. ૫૨૪
અખા અક્ષરપદ તું ત્યાં રમે, જ્યાં ચવે નહિ ત્યાં વિરમે;
નીતિ નિવેદન એહ જ જાણ્ય, આત્મતત્ત્વ સઘળે પરમાણ;
ત્યારે સર્વ પડે પાધરું, જ્યારે હુંપણાનું આવે શરું. ૫૨૫
ઓળખ આપ હાવડાં હરિ મળે, બાહ્યથકો અંતર્ગત વળે;
અન્વય વ્યતિરેકે હરિ ભાળ, તુષને ત્યાગે રહે તે સાળ;
અક્ષર આપ અવસ્થા ફરે, અખા તુંજ આદ્યે મધ્યે સરે. ૫૨૬
પહેલી હારીશું ;લાગી પ્રીત, તેણે ભાંગી લૌકિક રીત;
એમ કરતાં સગપણ નીકળ્યું, તેણે ત્યાં કાંઇ કહેવું ટાળ્યું;
સ્વામી સેવક પ્રીતે હતો ભાવ, સગપણ અખા સ્વાતંતર સાવ. ૫૨૭