જીવન ચારત્ર. અખો ભકત. ગુજરાતી ભાષામાં વેદાંત વિષયપર જે જે કવિએએ કાવ્યો લખ્યાં છેતે વેદાંતી કવિએમાં અખેા ભક્ત એ સર્વ શિરામણી છે. આ કવિતા જન્મ ક્યારે થયા હતા, એ ક્યારે કવિતા કરવા લાગ્યા, એનામાં જન્મથીજ કવિત્વ શક્તિ હતી કે પાછળથી કવિત્વ શક્તિ આવીઅે ખય્યત સબંધી કઇ પણ ખાત્રીલાયક હકીકત જણાયલી નથી. તથાપિ પ્રારબમાં આટલું તે કહ્યા વિના ચાલે તેવું નથી કે એ કુદરતી કવિ તે નહોતાજ. એના જન્મ ક્યારે ને કીયા સાલમાં થયે તેતેમાટે સપ્રમાણુ હકીકત કોઇપણ સ્થળેથી મળી આવે તેવાં કાઇપણ સાધન નાલે હોવાથી, તે આપણા દેશમાં મહાભા, કવિ અને મહાપુરુષનાં ચિત્રોને કંઇપણ નોંધ રાખવાના ોયે તેવા પરિપાઠ નહિ હાવાથી જે કંઇક તૂટક તૂટક હકીકતે હાથ આવી છે તે ઉપરથી આ ચરિત્ર ચીતરવામાં આવ્યું છે. સને ૧૮૮૪ ના મકટોબર માસમાં હુ'અમદાવાદ ગયા હતા, ત્યારે આ કવિ સંબંધી કેટલીક હકીકત મેળવવાના પ્રયત્ન કાવે, પણ તેમાં મારે શ્રમ ધણેક દરજ્જે નિષ્ફળ ગયેા હતા. દેસાઇની પાળ, કે જ્યાં આ કવિનું રહેઠાણુ કહેવામાં આવે છે તે સ્થળેથી એના સબધી યત્કિંચિત્ પણ હકીકત મળી આવી નહિ, પણ માંડવીની પેાળમાં રહેનાર એક સાની નામે મે તીરામની કંઇક આકસ્મિક મુલાકાત થº ગઇ, તેણે મને એ કિય સંબંધી કઈક હકીકત કહી, જેમાંની ઘણીક તે માનવા દ્વેગ પણ જણા નહિ, તથાપિ કેટલીકના આ સ્થળે મે ઉપયોગ કીધા છે. આ સાનીના કહેવા પ્રમાણે અખા ભક્ત તેનીજ નાતના એટલે શ્રીમાળી સેાની હતા. કેટલાક એને પરજીએ સેની કહે છે. પણ એના કોઇપણ કાવ્યમાં પરજીયા સેાનીની ભાષા શબ્દ નથી, તે ઉપરથી તે પરજીસાની હોવાનો અસંભવ છે. શ્રીમાળી સાનીને મહાજન સાની પણ કહે છે. આ મોતીરામ સેાનીના કહેવા પ્રમાણે પહેલાં તા તે અમદાવાદની પાસે આવેલા જેતલપુરમાં રહેતા હતા, ને ત્યાંથી
પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 3.pdf/૭
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે