આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રસ્તાવના

એમની ભક્તિ કરીને આપણા જીવનમાં કેવા ફેરફાર કરવા, એ જાણવું જરૂરનું છે.

સર્વત્ર એક પરમાત્માની શક્તિ - સત્તા - જ કાર્ય કરી રહી છે. મારામાં - તમારામાં - સર્વેમાં એક જ પ્રભુ વ્યાપી રહ્યો છે. એની જ શક્તિથી સર્વેનું હલન-ચલન-વલણ છે. રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈશુ વગેરેમાં પણ એ જ પરમાત્માની શક્તિ હતી. ત્યારે આપણામાં અને રામ-કૃષ્ણાદિકમાં શો ફેર? એ પણ મારા તમારા જેવા મનુષ્ય દેખાતા હતા; એમને પણ મારી-તમારી માફક દુઃખો વેઠવાં પડ્યાં હતાં અને પુરુષાર્થ કરવો પડ્યો હતો; છતાં આપણે એમને અવતાર શા માટે કહીએ છીયે? હજારો વર્ષ વીતી ગયાં છતાં શું કામ આપણે એમને પૂજીયે છીએ?

'આત્મા સત્યકામ - સત્યસંકલ્પ છે,' એવું વેદવચન છે. જે આપણે ધારીયે, ઇચ્છીએ તે પ્રાપ્ત કરી શકીએ એવો એનો અર્થ થાય છે. જે શક્તિને લીધે આપણી કામનાઓ સિદ્ધ થાય છે એને જ આપણે પરમેશ્વર - પરમાત્મા - બ્રહ્મ કહીયે છીયે. જાણેઅજાણે પણ એ જ પરમાત્માની શક્તિનું આલમ્બન - શરણ - લઈ આપણે જે સ્થિતિમાં આજે

૧૦