આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નથી. જે અનુભવ કોઇ પણ વાદ કે કલ્પનાથી પર હોય તે જ સત્ય.

એ રીતે વિચારતાં માલુમ પડી આવશે કે મૈત્રીનું સુખ પ્રત્યક્ષ છે, વૈરાગ્યની શાન્તિ પ્રત્યક્ષ છે, માતાપિતા અને ગુરુની સેવાનું શુભ પરિણામ પત્યક્ષ છે, પ્રાણીમાત્ર પ્રત્યે પ્રેમ રાખવાનું ફળ પ્રત્યક્ષ છે, શમ દમના પરિણામો પ્રત્યક્ષ છે; બીજી બાજુએ ભોગ-વિલાસનાં માઠાં ફળો પ્રત્યક્ષ છે, વૈરભાવથી થતી માનસિક વેદના પ્રત્યક્ષ છે, માતાપિતા, ગુરુ વગેરેને કનડવાથી થતી તિરસ્કારપાત્રતા પ્રત્યક્ષ છે. ભગવાન મહાવીર કહે છે તેમ સ્વર્ગનું સુખ પરોક્ષ છે; મોક્ષ (મુઆ પછી જન્મ-મરણ વિનાની દશા)નું સુખ અત્યંત પરોક્ષ છે, પણ પ્રથમ (નિર્વાસનુકતા, નિઃસ્પૃહતા)નું સુખ પ્રત્યક્ષ છે.