આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બુદ્ધ
એણે બાળકને પેટના દીકરા પ્રમાણે ઉછેર્યો અને એ બાળકે પણ એને સગી માની જેમ ચાહી.
૨.કહેવાય છે કે આ બાળકનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું હતું. કેટલાકને આ વિષે શંકા છે, પણ એનું બીજું કોઈ નામ હતું તેમ જણાયું નથી, માટે આપણે એને સિદ્ધાર્થને નામે ઓળખવામાં હરકત નથી.
૩.બાપનો એકનો એક ખોટનો છોકરો, તેથી એણે સિદ્ધાર્થને અતિ લાડમાં ઉછેર્યો. એણે રાજકુમારને છાજે એવી એને કેળવણી આપી ખરી, પણ સાથે સાથે સંસારના વિલાસો પૂરા પાડવામાં યે મણા રાખી નહિ. યશોધરા નામે એક ગુણવાન કન્યા જોડે એનું લગ્ન થયું હતું અને રાહુલ નામે એક છોકરો એને પેટે થયો હતો. પોતાના ભોગોનું વર્ણન સિદ્ધાર્થે આ પ્રમાણે આપેલું છે : -
- "હું બહુ સુકુમાર હતો. મારા સુખ માટે મારા પિતાએ તળાવ ખોદાવી તેમાં વિવિધ પ્રકારની કમલિનીઓ વાવી હતી. મારાં વસ્ત્રો રેશમી હતાં. ટાઢ તાપની મારા ઉપર અસર ન થાય એટલા માટે
- "હું બહુ સુકુમાર હતો. મારા સુખ માટે મારા પિતાએ તળાવ ખોદાવી તેમાં વિવિધ પ્રકારની કમલિનીઓ વાવી હતી. મારાં વસ્ત્રો રેશમી હતાં. ટાઢ તાપની મારા ઉપર અસર ન થાય એટલા માટે
૪