આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
સંપ્રદાય

પ્રથમ શિષ્યો

૧. પોતાની તપશ્ચર્યા દરમીયાન એ અનેક તપસ્વીઓના સંસર્ગમાં આવ્યા હતા. એ બધા સુખની શોધમાં શરીરને અનેક પ્રકારનું કષ્ટ આપી બાળી રહ્યા હતા. બુદ્ધને એ રીત ભૂલભરેલી લાગી હતી, તેથી એમણે એ તપસ્વીઓ પૈકી કેટલાકને પોતાને પ્રાપ્ત થયેલા સત્યનો ઉપદેશ કર્યો. એમાંથી જે બ્રાહ્મણોએ બુદ્ધે અન્ન ખાવા માંડવાથી એનો ત્યાગ કર્યો હતો તે એમના પ્રથમ શિષ્ય થયા.

૧૮