આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બુદ્ધ
૧ સમ્યક્*[૧] જ્ઞાન - એટલે ચાર આર્યસત્યોને સારી પેઠે વિચાર કરી જાણવાં તે.
૨ સમ્યક્ સંકલ્પ - એટલે શુભ કર્મો કરવાનો જ નિશ્ચય.
૩ સમ્યગ્ વાચા - એટલે સત્ય, પ્રિય અને હિતકર વાણી.
૪ સમ્યક્ કર્મ - એટલે સત્કર્મોમાં જ પ્રવૃત્તિ.
૫ સમ્યગ્ આજીવ - એટલે પ્રામાણિકપણે જ આજીવિકા પ્રાપ્ત કરવા માટેનો ઉદ્યમ.
૬ સમ્યક્ પ્રયત્ન - અથવા કુશળ પુરુષાર્થ.
૭ સમ્યક્ સ્મૃતિ - એટલે હું શું કરૂં છું, શું બોલું છું, શું વિચારૂં છું એનું નિરન્તર ભાન.
૮ સમ્યક્ સમાધિ - એટલે પોતાના કર્મમાં એકાગ્રતા, પોતાના નિશ્ચયમાં એકાગ્રતા, પોતાના પુરુષાર્થમાં એકાગ્રતા, પોતાની ભાવનામાં એકાગ્રતા.*[૨]
૨૨