આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હૃદ્ગત


લેખોને હું નિસ્સંકોચપણે છાપવાની પરવાનગી નથી આપી શકતો. છાપવાની કળાથી પાંડિત્ય અને ભૌતિક વિજ્ઞાન વધ્યાં છે. એ હું ના પાડી શકું નહિ, પણા સદ્‌વિદ્યા વધી જ છે એમ મારી ખાત્રી નથી થઇ; નથી જ વધી, એમ પણ મારો અનુભવ હોત, તો પુસ્તક ન જ છાપવું એ નિર્ણય ઉપર હું આવત.

પુસ્તક લખવા અને છપાવવાની પ્રવૃત્તિ કરનારમાં કાંઇક જ્ઞાનની કચાશ અથવા તેનો મદ કે અહંકાર હોય જ. અને મદ કે અહંકારમાં લખાયલાંમાં પૂર્ણપણે સત્ય ન હોવાનો, અથવા સત્યની એક જ બાજુને અતિભાર આપવાપણાનો