આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બુદ્ધ
આનંદ - જી, હા; ત્યાં એમનું ઘણું માન જળવાય છે.
બુદ્ધ - એ લોકો પોતાની વિવાહિત કે અવિવાહિત સ્ત્રીઓ પર જુલમ તો નથી કરતા ને ?
આનંદ - જી, ના; ત્યાં સ્ત્રીઓની પ્રતિષ્ઠા ઉચ્ચ છે.
બુદ્ધ - વજ્જી લોકો શહેરનાં અથવા શહેર બહારનાં દેવસ્થળોની કાળજી લે છે ?
આનંદ - હા, ભગવન્ .
બુદ્ધ - આ લોકો સંતપુરુષોનો આદરસત્કાર કરે છે ?
આનંદ - જી, હા.
આ સાંભળી બુદ્ધ અમાત્યને ઉદ્દેશીને બોલ્યા, "મેં વૈશાલીના લોકોને આ સાત નિયમો આપ્યા હતા. જ્યાં સુધી એ નિયમોનું પાલન થાય છે ત્યાં સુધી તેમની સમૃદ્ધિ જ થશે, અવનતિ થઈ શકવાની નથી." અમાત્યે અજાતશત્રુને જજ્જી લોકોને ન કનડવાની જ સલાહ આપી.
નિયમો
૯ અમાત્યના ગયા પછી બુદ્ધે પોતાના ભિક્ષુઓને એકત્ર કરી નીચે પ્રમાણે શીખામણ આપી :
૪૦