આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બુદ્ધ
નિયમોને તમે પાળશો ત્યાં સુધી તમારી ઉન્નતિ જ થવાની છે, અવનતિ થશે નહિ.
" ભિક્ષુઓ, વળી અભ્યુન્નતિના બીજા સાત નિયમો કહું છું તે સાવધાનપણે સાંભળો: (૧) શ્રદ્ધાળુ થાઓ, (૨) પાપ કર્મથી લાજો, (૩) લોકાપવાદથી ડરો, (૪) વિદ્વાન થાઓ, (૫) સત્કર્મો કરવામાં ઉત્સાહી રહો, (૬) સ્મૃતિ જાગ્રત રાખો અને (૭) પ્રજ્ઞાવાન થાઓ. જ્યાં સુધી આ સાત નિયમોનું તમે પાલન કરશો ત્યાં સુધી તમારી ઉન્નતિ જ થશે, અવનતિ થશે નહિ.
" ભિક્ષુઓ, વળી અભ્યુન્નતિના સાત નિયમો કહું છું તે ઉપર ધ્યાન આપો: જ્ઞાનનાં સાત અંગોની હંમેશાં ભાવના કરો. એ સાત અંગો[૧] (૧) સ્મૃતિ, (૨) પ્રજ્ઞા, (૩) વીર્ય, (૪) પ્રીતિ, (૫) પ્રશ્નબ્ધિ, (૬) સમાધિ અને (૭) ઉપેક્ષા."
- ↑ (૧) સ્મૃતિ એટલે સતત જાગૃતિ, સાવધાનતા: શું કરૂં છું, શું વિચારૂં છું, શી લાગણીઓ, ઇચ્છાઓ વગેરે મનમાં ઉદ્ભવે છે, આજુબાજુ શું થઇ રહ્યું છે, એ સર્વે વિષે ચકોરતા. (૨) પ્રજ્ઞા એટલે મનોવૃત્તિઓનું પૃથ્થકરણ કરવાનું સામર્થ્ય: આનંદ, શોક, સુખ, દુઃખ, જડતા, ઉત્સાહ,
૪૨